યૂજીસી(UGC) દેશની શિક્ષા નીતિમાં મોટા સ્તરે ફેરબદલ થવા જઇ રહી છે. દેશના તમામ યુનિવર્સિટીઓમાં ચલતા ગ્રેજ્યુએશન કોર્સની મર્યાદા ત્રણથી વધારીને ચાર વર્ષ કરવાની તૈયારી છે.
વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ (UGC) આ પ્રસ્તાવ પર ગંભીરતાથી વિચાર કરી રહી છે. ચાર વર્ષની મર્યાદાના અભ્યાસક્રમ બાદ વિદ્યાર્થી સીધા PhD કરી શકશે. ચાર વર્ષનો ગ્રેજ્યુએશન કોર્સ કરનારા વિદ્યાર્થીઓ માટે અનુસ્નાતક (Post Graduation) કરવું જરૂરી નહીં રહે.
યૂજીસી ચેરમેન પ્રો ડીપીસિંહનું કહેવું છે કે શિક્ષા નીતમાં મોટા સ્તરે ફેરફાર કરવામાં આવશે. તેમણે કહ્યું કે, જોકે યુનિવર્સિટીઓમાં ગ્રેજ્યુએશન અભ્યાસક્રમ ત્રણ વર્ષનો અને પોસ્ટ ગ્રેજ્યુએશનનો કોર્સ બે વર્ષનો હોય છે. જેને પૂરો કર્યા બાદ જ કોઇ વિદ્યાર્થીને PhDમાં પ્રવેશ મળી શકે છે.
હવે આ પરંપરાઓને બદલવામાં આવશે. આ બાબત રચના યૂજીસૂની એક વિશેષજ્ઞ સમિતિએ શિક્ષા નીતિમાં ફેરફાર કરવા માટે યૂજીસીને પોતાના રિપોર્ટ સોંપી દીધા છે. જેમાં કેટલીક રજૂઆતો કરવામાં આવી છે.
ચાર વર્ષનો હશે ગ્રેજ્યુએશન કોર્સ
યૂજીસીના નવા ડ્રાફ્ટ હેઠળ ગ્રેજ્યુએશન અભ્યાસક્રમના ચોથા વર્ષમાં શોધને કેન્દ્રમાં રાખવામાં આવી શકે છે. આ દરમિયાન યુનિવર્સિટીઓને ત્રણ વર્ષીય પરંપરાગત ગ્રેજ્યુએશન અભ્યાસક્રમ ચલાવવાની પણ છૂટ આપવામાં પણ આવી હશે. જો કોઇ વિદ્યાર્થી ચાર વર્ષનો ગ્રેજ્યુએશન અભ્યાસક્રમ કર્યા બાદ PhDના બદલે પોસ્ટ ગ્રેજ્યુએશન કરવા માંગે છે, તો તેમને તે છૂટ મળશે.
સીધું PhDમાં એડમિશન લઇ શકાશે
હાલમાં ટેકનિકલ શિક્ષણના બેચલર ઓફ ટેક્નોલોજી (B.tech) અથવા બેચલર ઓફ એન્જીનિયરિંગ (BE) ચાર વર્ષના ગ્રેજ્યુએશન અભ્યાસક્રમ છે. ત્યારબાદ વિદ્યાર્થીઓ સીધા PhDમાં દાખલ થઇ શકે છે.
આ સિવાય, કમિટીએ કેટલીક ભલામણો કરી છે. દરેક ભલામણો પર ગંભીરતાથી વિચાર કરવામાં આવી રહ્યો છે. આ નીતિ દેશને નવી દિશા આપનારી હશે. જેને લઇને તેના તમામ બિંદુઓની યોગ્ય રીતે પરખ કરીને જ લાગૂ કરવામાં આવશે. નવી નીતિ આગામી વર્ષથી લાગૂ કરી શકાય છે.