ભાવનગરઃ દિવસેને દિવસે રાજ્ય અને ભાવનગરમાં લૂંટ અપહરણ ચોરી હત્યાની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે ફરી વખત અજાણ્યા શખ્સો દ્વારા અપહરણ કરી લૂંટ ચલાવવાની ઘટના સામે આવી હતી. જેમાં 3 મહિલાઓ સહિત 4 લોકોના અપહરણ બાદ લૂંટની ઘટના સામે આવી છે.
આ ચારેય કામ પરથી પરત ફરી રહેલા લોકોનું અજાણ્યા વાહનચાલકોએ અપહરણ કર્યુ હતું. આ લોકો પાસેથી સોનાના દાગીનાની લૂંટ ચલાવીને વાહન ચાલકો ફરાર થયા હતા. ચારેય લોકો વરતેજ પાસેથી બેભાન હાલતમાં મળી આવ્યા હતા.
આ ઘટનાની જાણ થતા પોલીસકર્મીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ચારેય લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસે વાહન ચાલકો સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથધરી છે.
આ પ્રકારે શહેરમાં અપહરણ અને લૂંટની ઘટના બનતા અનેક સવાલો ઉપજે છે. શું આવા તત્વોને કાયદાનો ડર નથી? શું પોલીસની બરોબર કામગીરી નથી? લૂંટ અને અપહરણ બન્યા પરંતુ હત્યા અને બળાત્કાર જેવી ઘટનાઓ બનશે તો કોણ જવાબદાર?