ભારત સરકાર દ્વારા ચાર મંત્રીઓને યુક્રેન આજુબાજુ આવેલા ચાર દેશોની જવાબદારી સોપવામાં આવેલ છે, અને સલામત રીતે વિદ્યાર્થીઓ અને ભારતીયોને ભારત પરત લાવવા માટે સતત પ્રયત્નો
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાનું નિવેદન
સરકારના ચાર મંત્રીઓ વિદેશ પ્રવાસે
યુક્રેન આજુબાજુના દેશના પ્રવાસ-સમીક્ષા
ભાવનગરના સણોસરા ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા આજે વિજ્ઞાન સપ્તાહના અંતિમ દિવસે હાજરી આપવા આવ્યા હતા, મનસુખ માંડવિયાએ યુક્રેન બાબતે વાત કરતા તેમણે જણાવેલ કે ભારત સરકાર તરફથી ફસાયેલા ભારતીયો અને વિદ્યાર્થીઓને પરત લાવવાં પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા યુક્રેન બાબતે મીડિયા સમક્ષ વાત કરતા જણાવેલ કે હાલ ભારત સરકાર દ્વારા ચાર મંત્રીઓને યુક્રેન આજુબાજુ આવેલા ચાર દેશોની જવાબદારી સોપવામાં આવેલ છે, અને સલામત રીતે વિદ્યાર્થીઓ અને ભારતીયોને ભારત પરત લાવવા માટે સતત પ્રયત્નો થયા છે, જ્યારે પત્રકાર દ્વારા ગુજરાતમાં ફી મોંઘી હોવાનાં બાબતે વિદેશ જઈ રહ્યા છે તે અંગે પુછતાં મનસુખ માંડવીયા એ જણાવેલ કે કોને કેટલી ફી ભરવી કોને ક્યાં ભણવું અને કયા દેશમાં ભણવું એ વ્યક્તિગત ઈચ્છાની વાત છે તેમ કહીને જવાબ આપવાનું ટાળ્યું હતું,
મનસુખભાઈ માંડવીયાએ વાત પણ કરી હતી કે અત્યારે હાલમાં રોજના બે ત્રણ હજાર ભારતીયોને પરત લાવવા માટેનું મીશન ચાલી રહ્યું છે, પરંતુ હકીકત એ પણ છે કે હજુ ખૂબ જ ઓછી સંખ્યામાં ભારતીય પરત આવ્યા છે ત્યારે વાસ્તવિકતા કેટલી તે પણ એક સવાલ છે