મહારાષ્ટ્રના ભિવંડીમાં શનિવારે એક ચાર માળની ઇમારત તુટી પડી. પોલીસના વરિષ્ઠ અધિકારી અનુસાર ઇમારતની અંદર 15 લોકો ફસાયા હોવાની આશંકા છે. રાહત અને બચાવ કાર્યમાં ઘણી ટીમો કામ કરી રહી છે. પોલીસ અનુસાર ઇમારતના જર્જરિત થવા વિશે પહેલા સૂચના આપવામાં આવી હતી.
ઘણા પરિવાર ઇમારત ખાલી કરી ચૂક્યા હતા. પરંતુ કેટલાક લોકો કંઇપણ બતાવ્યા વિના ઇમારતમાં પ્રવેશ કર્યો હતો. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે કે આ લોકોએ વિના અનુમતિએ ઇમારતમાં પ્રવેશ કેમ કર્યો. પોલીસના વરિષ્ઠ અધિકારી અનુસાર પીડિત પરિવારના લોકોની આ બનાવ અંગે પૂછપરછ કરાઇ રહી છે.
હાલ પોલીસ ઇમારતના કાટમાળમાં ફંસાયેલા લોકોને નીકાળવા અભિયાન હાથ ધર્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર કાટમાળમાંથી 7 લોકોને બહાર નીકાળવામાં આવ્યા છે. જેમા બે લોકોના મોત થઇ ગયા છે. જ્યારે પાંચની હાલત ગંભીર બતાવાઇ રહી છે. પોલીસના વરિષ્ઠ અધિકારી અનુસાર ઇમારતની અંદર 15 લોકો ફસાયા હોવાની આશંકા છે. રાહત અને બચાવ કાર્યમાં ઘણી ટીમો કામ કરી રહી છે.
ભિવંડી નગર નિગમના કમિશ્નર અશોક રણખંબે બતાવ્યું કે ઇમારતની જર્જરિત હાલત વિશે અગાઉથી સૂચના આપી દેવાઇ હતી. સૂચના મળતા જ અમે અમારી ઇમરજન્સી ટીમને ઘટના સ્થળે મોકલી, અને તમામ લોકોને ઇમારતથી બહાર નીકળવા જણાવ્યું. અમે આ ઇમારતમાં રહેનાર તમામ પરિવારોને બહાર નીકળ્યા હતા. પરંતુ બાદમાં કેટલાક લોકો વિના અનુમતિએ ઇમારતમાં ઘુસી ગયા. જે બાદ આ બનાવ બન્યો હતો.
Ashok Rankhamb: We vacated the entire building but some people entered the building without permission. It was then the building collapsed. 4 people were rescued, of them one died. It's an 8-year-old building & was built illegally. Investigation will be done. https://t.co/UhX0OSVTxX