વાઇલ્ડલાઇફ સર્વે ઓર્ગેનાઇજેશન મુજબ, ભારતમાંથી ઘણા પ્રાણીઓ અને વનસ્પતિ-છોડ વિલુપ્ત થઇ ચૂક્યા છે. આ માટે પર્યાવરણ, વન અને જલવાયુ પરિવર્તન મંત્રાલયે ઘણા કારણોને જવાબદાર બતાવ્યા છે. વન્ય જીવોની 4 પ્રજાતિઓ અને વનસ્પતિઓની 18 પ્રજાતિઓ ગત કેટલાય વર્ષોથી ભારતમાંથી વિલુપ્ત થઇ ચૂકી છે.
તેમા 1750થી લઇને વર્ષ 1876 સુધીના આંકડા આપ્યા છે. આ મહીનાની શરૂઆતમાં મંત્રાલય તરફથી આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. બોટનિકલ સર્વે ઓફ ઇન્ડિયા (BSI)ના ડિરેક્ટર એ.એ. માઓએ કહ્યું છે કે દુનિયાની તમામ વનસ્પતિઓની 11.5 ટકા ભારતમાં જોવા મળે છે.
ઇન્ટરનેશનલ યૂનિયન ફોર કન્જર્વેશન ઓફ નેચરના નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે 1750 બાદથી પક્ષિઓ, સ્તનધારિઓ અને ઉભયચરોની તુલનામાં બેગણીથી વધારે વનસ્પતી ગાયબ થઇ યૂકી છે.
બોટનિકલ સર્વે ઓફ ઇન્ડિયા અનુસાર, છોડની 18 પ્રજાતિઓ (જેમા 4 ફૂલ વિનાના અને 14 ફુલ વાળા છોડ) વિલુપ્ત થઇ ચુક્યા છે. 1882માં Lastreopsis wattii (લાસ્ટ્રેપ્સિસ વાટ્ટી) જોર્જ વોટે મણિપુરમાં એક ફર્ન અને જીનસ ઓફીર્રિહિજા (Ophiorrhiza Brunonis, Ophiorrhiza caudate and Ophiorrhiza radican) થી ત્રણ પ્રજાતિઓ શોધી હતી. જ્યારે મ્યાનમાર, અને બંગાળ રીઝનમાં વિલિયમ રોક્સબર્ગ દ્વારા શોધ કરવામાં આવી Corypha taliera Roxb, એક તાડની પ્રજાતિ પણ વિલુપ્ત થઇ ચૂકી છે.
સ્તનધારી પ્રાણીઓની વાત કરીએ તો, ચિત્તો (Acionyx jubatus) અને સુમાટ્રાન ગેન્ડા (Dicerorhinus sumatrensisi) ભારતમાં વિલુપ્ત માનવામાં આવે છે. 1950 બાદ ગુલાબી રંગના માથા વાળી બતક (Rhodonessa caryophyllaceai)ના વિલુપ્ત થવાની આશંકા છે. હિમાલયી બટેર (Ophrysia Supercililios) ની 1876 સુધી હોવાની વાત સામે આવી છે.
ભારતીય પ્રાણી સર્વેક્ષણના ડિરેક્ટર કૈલાશ ચંદ્રે કહ્યું કે ચાર પ્રાણીઓ દુનિયાના અન્ય ભાગમાં હોઇ શકે છે. એમણે કહ્યું કે ભારતમાં દુનિયાની કુલ પ્રજાતિઓની લગભગ 6.49 % જોવા મળે છે. જ્યારે મંત્રાલયનું કહેવું છે કે, 'પ્રતિસ્પર્ધા, પ્રાકૃત્તિક પસંદગી, શિકાર અને કુદરતી નિવાસમાં ઘટાડો થવા જેવા માનવ સર્જિત કારણોને પગલે આ પ્રાણીઓ વિલુપ્ત થયા છે.