સોમવારે જ સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંતને કડક કાર્યવાહી ના કરવા પર ફટકાર લગાવી હતી. ત્યારબાદ સૌથી પહેલા પંચે નેતાઓના પ્રચાર પર બેન લગાવ્યો, તો અન્ય ક્ષેત્રો પર પણ અસર જોવા મળી રહી છે.
નવી દિલ્હી: લોકસભા ચૂંટણીમાં પ્રચારને લઇને ચૂંટણી પંચ સતત કડક થતું જઇ રહ્યું છે. સોમવારે ઘણા નેતાઓના પ્રચાર પર બેન લગાવ્યા બાદ પંચની કડકાઇની અસર જોવા મળી છે. ટ્રેનની ટિકીટો પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ફોટો છાપવા પર રેલવેએ પોતાના 4 કર્મચારીઓને સ્પેન્ડ કરી દીધા છે. પંચે આ ફોટાને લઇને રેલવે વિભાગને નોટિસ પાઠવી છે.
સોમવારે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંતને કડક કાર્યવાહી ના કરવા પર ફટકાર લગાવી હતી. ત્યારબાદ સૌથી પહેલા આયોગના નેતાઓના પ્રચાર પર બેન લગાવ્યો, તો હવે અન્ય ક્ષેત્રોમાં પણ અસર જોવા મળી રહી છે.
રેલ મંત્રાલયના સૂત્રોનું માનીએ તો ગંગા સતલજ એક્સપ્રેસના થર્ડ એસીમાં ટિકીટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીમો ફોટો લાગેલો હતો. આ ટ્રેન બારાબંકીથી વારાણસી માટે જઇ રહી હતી. એની પર બાદમાં બબાલ થઇ હતી અને ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
2 Railway employees have been suspended after tickets with photo of PM Modi printed on them were issued to passengers at Barabanki railway station yesterday. ADM says, "On 13 April, when shift changes, the old roll was mistakenly used. 2 employees suspended, dept probe underway" pic.twitter.com/1fbLFbXq9X
ત્યારબાદ ચૂંટણી પંચે રેલેને નોટિસ મોકલી અને હવે રેલવે એ પોતાના કર્મચારીઓ પર કાર્યવાહી કરતાં 4 ને સસ્પેન્ડ કરી દીધા છે. રેલવે ટિકીટ પર પ્રધાનમંત્રી આવાસ યોજના બધા માટે આવાસની જાહેરાત છાપી હતી.
ટિકીટની પાછળ પીએમ નરેન્દ્ર મોદીનો ફોટો છપાયેલો હતો. એને લઇને એક વ્યક્તિએ ટ્વિટ કરી દીધું હતું. જેની પર વિવાદ થયો હતો.