જુનાગઢના સુખનાથચોકમાં ગતરાત્રીએ ચાર રાઉન્ડ ફાયરીંગની ઘટના બની છે. ઘટના સ્થળેથી એક જીવતા કારટીસ મળી આવ્યો છે. જેમાં ચાર લોકોને ઈજા પહોચી છે અને એકની હાલત અતિ ગંભીર છે. જેને રાજકોટ ખસેડવામાં આવ્યો છે. બાકી 4 લોકો જૂનાગઢ સરકારી હોસ્પિટલ સારવાર હેઠળ છે.
ઘટનાની જાણ થતા જ એસ પી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચી ગયો હતો. જ્યાં સોડાબોટલ અને પથ્થરમારા થયો હોવાનું જણાયું હતું. તેમજ ઘટના સ્થળ ઉપરથી ચાર ખાલી કાર્ટીસ અને એક જીવતો કારતુસ મળી આવ્યો હતો.
આગાઉના મનદુઃખને લઈને આ ફાયરીંગ થયું હોવાનું પ્રાથમિક જાણવા મળ્યું હતું કે 5 દિવસ પહેલા એક ઇનોવા કારનું વડાલ ચોકડી પાસે અકસ્માત થયો હતો. જેમાં બે લોકોના મૃત્યુ થયું હતું જે મન દુઃખના કારણે બે જૂથ વચ્ચે મારામારીની ઘટના બની.
આ મુસ્લિમ બે જૂથ હતા.જેમાં જે જૂથ મારવા આવેલ હતું. તેના 15 જેટલા લોકોની અટક કરવામાં આવી છે. સામેના જૂથે હજુ ફરિયાદ કરવામાં આવી નથી એ દિશા માં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આમ જુનાગઢમાં ફાયરીંગની ઘટના બનતા આ વિસ્તારમાં સન્નાટો ફેલાય ગયો હતો અને દુકાનો બંધ થઇ ગઈ હતી. હાલ પોલીસે આરોપીની શોધખોળ શરુ કરી છે.