રાજ્યમાં કોરોના મહામારી વચ્ચે ભાવનગરમાં એક ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે. ભાવનગરમાં રિટાયર્ડ DySPના પરિવારના 4 સભ્યોએ સામુહિક આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
રિટાયર્ડ DySPના પુત્રના પરિવારના લોકોએ કર્યો આપઘાત
એક જ પરિવારના 4 સભ્યોએ કર્યો આપઘાત
રિવોલ્વરથી ગોળીમારીને પરિવારનો સામૂહિક આપઘાત
પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે, ભાવનગરમાં રહેતા રિટાયર્ડ DySPના પુત્ર, પુત્રવધુએ બાળકો સાથે રિવોલ્વરથી ગોળીમારીને પરિવારનો સામૂહિક આપઘાત કર્યો છે. નોંધનીય છે કે, DySPના પુત્રએ બે બાળકોને રિવોલ્વરથી ગોળી માર્યા બાદ પોતાની પત્નીને પણ ગોળી મારી હતી અને બાદમાં તેણે પોતે પણ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી.
ભાવનગરઃ રિટાયર્ડ DySPના પુત્રના પરિવારનો સામુહિક આપઘાત. રિવોલ્વરની ગોળી મારીને એક જ પરિવારના 4 સભ્યોએ આપઘાત કર્યો છે.#bhavnagar#Gujarat#Suicide
ભાવનગરમાં એક જ પરિવારના 4 સભ્યોના સામુહિક આપઘાતની ઘટનાને પગલે ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ બનાવ અંગેની જાણ થતાં જ તાત્કાલિક અસરથી પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. જો કે, આ 4 લોકોએ કયા કારણોસર આપઘાત કર્યો તે અંગેની કોઇ જ માહિતી હજી સુધી સામે આવી નથી.