બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતના ફ્લેટમાં એકીસાથે ચાર લોકો કેવી રીતે મર્યાં? ડેપ્યુટી કમિશનરે કર્યો મોટો ખુલાસો

ગુજરાત / સુરતના ફ્લેટમાં એકીસાથે ચાર લોકો કેવી રીતે મર્યાં? ડેપ્યુટી કમિશનરે કર્યો મોટો ખુલાસો

Last Updated: 06:29 PM, 15 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના સુરતના ફ્લેટમાંથી ચાર લોકોના મોતમાં એક મોટો ઘટસ્ફોટ થયો છે.

ગુજરાતના સુરતમાં 4 લોકોના મોતે રહસ્ય જગાવ્યું છે. સુરતના જહાંગીરપુરા રાજન રેસિડેન્સીમાં શનિવારે સવારે એકીસાથે 4 લોકોની લાશ મળતાં હડકંપ મચ્યો હતો. મૃતકોમાં ફ્લેટના માલિક જસુબેન વાઢેલ, તેની બહેન શાંતાબેન વાઢેલ (53), ગૌરીબેન મેવાર (55) અને ગૌરીબેનના પતિ હીરાભાઈ સામેલ છે.

ચાર લોકોના મોતનું શું કારણ?

આ ચાર લોકોના મોતનું કારણ પણ સામે આવ્યું છે. નવભારત ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ડીસીપી) આરપી બારોટે કહ્યું કે ગેસથી ચાલતું ગીઝર ચાલુ રાખવાથી ગૂંગળામણને કારણે મૃત્યુની આશંકા પ્રાથમિક દૃષ્ટિએ છે. જોકે, મૃત્યુનું સાચું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. તેમણે કહ્યું કે પોલીસને સવારે 9 વાગ્યાની આસપાસ મૃતદેહોની માહિતી મળી હતી. સુરત ડીસીપી બારોટે જણાવ્યું હતું કે ફ્લેટના માલિક જસુબેન વાઢેલ, તેની બહેન શાંતાબેન વાઢેલ (53), ગૌરીબેન મેવાર (55) અને ગૌરીબેનના પતિ હીરાભાઈ (60)ના મૃતદેહ એપાર્ટમેન્ટમાંથી મળી આવ્યા હતા. ડીસીપીએ કહ્યું કે આ ચાર લોકો શુક્રવારે રાત્રે લગભગ 10 વાગે સુઈ ગયા હતા. જસુબેનનો પુત્ર શનિવારે સવારે 8 વાગ્યાની આસપાસ મળવા આવ્યો હતો ત્યારે ચાર જણાંને બેભાન જોતા પોલીસને જાણ કરી હતી.

પીડિતોને ઉલટી થઈ

આરપી બારોટે કહ્યું કે પીડિતોને ઉલ્ટી થઈ હતી. ઘટનાસ્થળેથી સેમ્પલ લઈને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે જો કે મૃત્યુનું સાચું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ પીડિતોનું મોત ગૂંગળામણને કારણે થયું હોવાની આશંકા છે કારણ કે ત્યાં ગેસથી ચાલતું ગીઝર ચાલુ હતું. બારોટે જણાવ્યું હતું કે આત્મહત્યાની શક્યતા ઓછી છે, પરંતુ પોલીસ તમામ પાસાઓની તપાસ કરી રહી છે.

વધુ વાંચો : સુરતમાં સગો મામો હેવાન બન્યો, 9 વર્ષની ભાણેજ પર દુષ્કર્મ આચર્યું, બેનના ઘેર રહેવા આવ્યોતો

ગેસ ગીઝર ઘાતક

ડીસીપીની વાતમાં તથ્ય હોવાનું લાગી રહ્યું છે કારણ કે ગેસ ગીઝરથી મોતની ઘટના નવી નથી. રાતે સુતી વખતે ગેસ ગીઝરની ગૂંગળામણ થતી હોય છે અને આવા કિસ્સામાં જીવ પણ જઈ શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

surat Mass suicide Surat death news Surat dead bodies found
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ