પાકિસ્તાન તરફથી બોર્ડર પારથી કરવામાં આવી રહેલ ફાયરિંગ પર ભારતીય સેના જડબાતોડ જવાબ આપી રહી છે. હવે ભારતીય સેનાએ પાકિસ્તાની સેનાની ચોકીઓને નસ્તેનાબૂદ કરવાની સાથે કેટલાક પાકિસ્તાની રેન્જર્સને પણ ઠાર માર્યા છે.
પાકિસ્તાનને ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો
પાકિસ્તાની સેનાની કેટલીક ચોકીઓ ઉડાવી
LoC પર સીઝફાયરનું ઉલ્લંઘન કરવું એક વખત ફરી પાકિસ્તાની સેનાને મોંઘુ પડ્યું. જવાબી કાર્યવાહીમાં ભારતીય સેનાએ પાકિસ્તાની સેનાની ચોકીઓને તબાહ કરી છે. તેની સાથે જ ભારતીય સેનાએ 4 પાકિસ્તાની રેન્જર્શને પણ ઠાર કર્યા છે. જોકે, ગુરૂવાર રાત્રે પાકિસ્તાને પુંછ-રાજૌરી સેક્ટરમાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું અને મોર્ટાર હુમલો કર્યો હતો.
પહેલા પણ આપ્યો જડબાતોડ જવાબ
આ પહેલા બુધવારે જમ્મૂ કાશ્મીરના ઉરીમાં સીઝફાયરનું ઉલ્લંઘન કરતા પાકિસ્તાને મોર્ટાર છોડ્યા અને ફાયરિંગ પણ કર્યું. પાકિસ્તાની સેનાની આ કાયર હરકતના કારણે ભારતીય સેનાના એક સૈનિક શહીદ થયા હતા. ભારત તરફથી સેનાએ પાકિસ્તાનને આર્ટિલરી અને મોર્ટારથી જવાબ આપ્યો.
ભારતીય સેનાની આ જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાની સેનાની કેટલાક ચોકીઓ નસ્તેનાબૂદ કરી દીધી. તેની સાથે જ પાકિસ્તાની સેનાએ સ્વીકાર્યું કે તેમના બે સૈનિક પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીરના દેવા સેક્ટરમાં માર્યા ગયા.