રાજકોટની નામાંકિત શિવશક્તિ ડેરીમાં અજાણ્યા ચાર લોકોએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. શહેરના મવડી મેઇન રોડ પર માલવીયાનગર પોલીસ સ્ટેશનની સામે આવેલી શિવ શક્તિ ડેરી ફાર્મની અંદર બપોરના સમયે 4 લોકોએ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બાદમાં 108 મારફત તમામને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ માલવીયાનગર પોલીસે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ પાછળ જમીનનો વિવાદ કારણભૂત હોવાનું સામે આવ્યું છે.
રાજકોટ શહેરના મવડી મેઇન રોડ પર આવેલી નામાંકિત ડેરીમાં ચાર અજાણ્યા શખ્સોએ બપોરના સમયે એક વાગ્યા આસપાસ આવીને ફિનાઇલની બોટલ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્રણ મહિલા એક પુરુષ જેના નામ શોભનાબેન ચાવડા, ગૌરીબેન ચાવડા, મંજુબેન વાઘેલા અને કેતન સાગઠીયાએ જાણવા મળ્યું છે. આપઘાતનો પ્રયાસ કરનાર આ લોકો દ્વારા પહેલા પોલીસ કમિશનરને અરજી કરી હતી. તેમાં જણાવ્યું હતું કે, તેઓ ગૌતમનગર વિસ્તારમાં રહે છે.
શિવશક્તિ ડેરીના માલિકના નામનો પણ કર્યો ઉલ્લેખ
આ જગ્યા પર છેલ્લા 30થી 35 વર્ષ થયા જમીન વેચાતી લઈને કાચા પાકા મકાનો બનાવીને રહે છે. આવી તેજીનાં ભાવથી અમુક લોકો માથાભારે, અને રાજકીય ઓથ ધરાવનારા લોકોએ આ જમીન ઘણા સમય પહેલા અમારી જાણ બહાર સાચા ખોટા કાગળીયા બનાવી અમને કાઢી મૂકવા ષડયંત્ર કરવામાં આવ્યું છે. કમિશ્નરને કરેલી લેખિત અરજીમાં આપઘાત કરનાર લોકોએ જીતુભાઈ વસોયા, શિવશક્તિ ડેરીના માલિક જગદીશભાઈ અકબરી, વિનુભાઈ ઠુમરના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
જેમાં આ ત્રણેય શખ્સો પડદા પાછળ રહીને આપઘાત કરનાર પરિવારને ગુંડા અને અસામાજિક તત્વો દ્વારા જાનથી મારીનાખવાની ધમકી અપાવતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અરજીમાં ડેરીના મલિક સહિત 3 લોકો સામે કાર્યવાહી કરવા પોલીસ કમિશનરને અરજી કરી કડક કાર્યવાહી કરવા માંગ કરી છે. હાલ ફિનાઈલ પીનાર ચારેયને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને સારવાર ચાલી રહી છે.