પુલવામા જિલ્લાના લાસ્સીપોર વિસ્તારમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ જોવા મળી છે. બંને તરફથી ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે. સેનાએ અત્યાર સુધીમાં ચાર આતંકીઓને ઠાર માર્યા છે.
જમ્મૂ-કાશ્મીરના પુલવામા જિલ્લાના લાસ્સીપોર વિસ્તારમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ જોવા મળી છે. બંને તરફથી ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે. સેનાએ અત્યાર સુધીમાં ચાર આતંકીઓને ઠાર માર્યા છે. એક મળતાં અહેવાલ મુજબ સેનાએ આ વિસ્તારને કોર્ડન કરી લીધો છે.
સુરક્ષાદળોને મળેલી ગુપ્ત માહિતીના આધારે સેનાએ એક ઘરનો ઘેરાવ કરી લીધો હતો. આતંકીઓએ પોતાનો ઘેરાવ થયેલો જાણી સેના પર ફાયરિંગ કર્યું છે. આતંકીઓએ ફાયરિંગ કરતાં સેનાએ જવાબી કાર્યવાહી કરી. જેમાં અત્યાર સુધીમાં ચાર આતંકીઓ ઠાર મરાયા છે. આ ચારેય આતંકીઓ લશ્કર-એ-તૈયબાના હોવાનું સામે આવ્યું છે.
જમ્મૂ-કશ્મીરમાં આજે પણ દિવસની શરૂઆત આતંકીઓ અને સુરક્ષાબળના જવાનો વચ્ચે અથડામણથી થઈ. જમ્મૂ-કશ્મીરના પુલવામામાં આવેલા લાસીપોરા એરિયામાં આતંકીઓ અને સેના વચ્ચે અથડામણ થઈ છે. જેમાં સુરક્ષાબળને ચાર આતંકીઓનો ખાતમો બોલાવવામાં સફળતા મળી છે. સુરક્ષાબળે ચાર આતંકીઓનો ખાતમો બોલાવ્યો છે અને આતંકીઓ પાસેથી ચાર એક.કે..47 રાઈફલ પણ જપ્ત કરી છે.
ઉલ્લેખનીય છે કે, ઠાર મરાયેલા ચારેય આતંકીઓ લશ્કર એ તૈયબાના આતંકી હોવાનું પણ સામે આવ્યું છે. સુરક્ષાબળના જવાનો સર્ચ ઓપરેશન કરી રહ્યા હતા ત્યારે આતંકીઓએ સુરક્ષાબળના જવાનો પર ફાયરિંગ કર્યુ. જે બાદ સુરક્ષાબળના જવાનોએ પણ આતંકીઓને વળતો જવાબ આપ્યો. સુરક્ષાબળના જવાનો દ્વારા સમગ્ર વિસ્તારને ઘેરવામાં આવ્યો અને બાદમાં આતંકીઓનો ખાતમો બોલાવવા કાર્યવાહી હાથ ધરાઈ. જેમાં સુરક્ષાબળને મોટી સફળતા મળી છે.