આ સાથે પીએમ મોદી સંત તુકારામ મહારાજ પાલકી માર્ગના ત્રણ વિભાગોને ફોર લેનમાં બનાવવાના કામનો શિલાન્યાસ પણ કરશે.
આ બંને શિલાન્યાસનો કાર્યક્રમની જાણકારી રવિવારે વડાપ્રધાન કાર્યાલય દ્વારા આપવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે સંત તુકારામ અને સંત જ્ઞાનેશ્વરની ગણના દેશના મહાન સંતોમાં થાય છે. આ બંને સંતોની જન્મજયંતિનો કાર્યક્રમ મહારાષ્ટ્રમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ પ્રસંગે મહારાષ્ટ્રમાં પણ મોટા પાયે પાલકી યાત્રાનું આયોજન કરવામાં આવે છે.
Prime Minister Narendra Modi will lay foundation stone of four laning of five sections of Sant Dnyaneshawar Maharaj Palkhi Marg (NH-965) and three sections of Sant Tukaram Maharaj Palkhi Marg (NH-965G), on 8th November: PMO
જાણકારી પ્રમાણે આધારશિલાનો આ કાર્યક્રમ વીડિયો કોન્ફરન્સિંગના માધ્મયથી યોજનાર છે. આ સાથે જ પ્રધાનમંત્રી મહારાષ્ટ્રના શહેરોમાં કનેક્ટિવિટીને વધારવા માટે 223 કિલોમીટરના રોડ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. આ રોડ પ્રોજેક્ટનો કુલ ખર્ચ 1180 કરોડ છે. કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્દવ ઠાકરે પણ જોડાશે.