ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાંગ્લાદેશના પ્રવાસ પર છે ત્યારે ઢાકા સહિતની જગ્યાઑ પર હિંસક પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે.
બે દિવસના પ્રવાસ પર બાંગ્લાદેશમાં છે પીએમ મોદી
ઢાકા સહિતની જગ્યાઑ પર કરવામાં આવ્યો વિરોધ
આંતરરાષ્ટ્રીય મીડિયા અહેવાલ અનુસાર કેટલાક પ્રદર્શનકારીઓના મોત
ચટગાંવમાં 5 લોકોની મોતના અહેવાલ
ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના બાંગ્લાદેશ પ્રવાસ પર છે ત્યારે બાંગ્લાદેશમાં પીએમ મોદીના પ્રવાસને લઈને ખૂબ વિવાદ પણ થઈ રહ્યો છે. પીએમ મોદીના પ્રવાસમાં બાંગ્લાદેશમાં વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે. બાંગ્લાદેશના ચટગાંવમાં વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ સાથે હિંસક ઝડપમાં પાંચ લોકોના મોત થાય હોવાના અહેવાલ સામે આવી રહ્યા રહ્યા છે.
પત્રકારો પણ થાય ઘાયલ
BBC બાંગ્લાની રિપોર્ટ અનુસાર એક પોલીસ કર્મીએ પુષ્ટિ કરી છે કે ઇજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જે બાદ ચારથી પાંચ લોકોની મોત થઈ ગઈ. નોંધનીય છે કે આ પહેલા બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં પણ શુક્રવારે નમાજ બાદ બાદ લોકો રસ્તા પર આવી ગયા હતા. વિરોધ પ્રદર્શનમાં પત્રકારો પણ ઘાયલ થયા હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે. બાંગ્લાદેશની મીડિયા રિપોર્ટ અનુસાર ચટગાંવમાં નમાજ બાદ હથાઝરી મદરસામાંથી વિરોધ માર્ચ નિકાળવામાં આવ્યો હતો જે બાદ ઝડપ થઈ હતી.
પીએમ મોદીનો કેમ થઈ રહ્યો છે વિરોધ?
હિફાઝત-એ-ઈસ્લામ સંગઠનના નેતા મુજીબુર રહેમાન હામિદીએ પણ પુષ્ટિ કરી છે કે તેમના પ્રદર્શનકારીઓની મોત થઈ છે. ઢાકાના અખબારોમાં અહેવાલ સામે આવ્યા છે કે કેટલાક પ્રદર્શનકારીઓએ ઢાકામાં પોલીસ સ્ટેશન પર પથ્થરમારો કર્યો હતો. નોંધનીય છે કે બાંગ્લાદેશમાં કેટલાય મુસ્લિમ નેતા તથા વાંમપંથી સંગઠનો દ્વારા ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. સંગઠનોનો આરોપ છે કે પીએમ મોદી સાંપ્રદાયિક છે.
2 દિવસના પ્રવાસ પર છે પીએમ મોદી
બાંગ્લાદેશની આઝાદીના 50 વર્ષ પૂર્ણ થવા પર ત્યાં મોટો જશ્ન કરવામાં આવી રહ્યો છે. બાંગ્લાદેશ એક દેશ બન્યો તેમાં ભારતનું પણ સૌથી મોટું યોગદાન રહ્યું છે ત્યારે ભારતના પ્રધાનમંત્રી પણ આ જશ્નમાં સામેલ થવા માટે શેખ હસીનાના આમંત્રણ બાદ ઢાકા પહોંચ્યા છે. બાંગ્લાદેશના પ્રવાસમાં પીએમ મોદીએ મતુઆ સમુદાયના આસ્થાના કેન્દ્ર માનવામાં આવતા મંદિરમાં દર્શન કરીને માતા મહાકાળીની પૂજા અર્ચના કરી હતી.