ઉત્તર પ્રદેશના કુશીનગરમાં બુધવારે સવારે ઝેરીલી ટ્રોફી ખાવાથી એક જ પરિવારના ચાર બાળકોના મોત થઈ ગયા છે.
યુપીમાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો
ઝેરીલી ટ્રોફી ખાવાથી બાળકોના મોત
સમગ્ર ગામમાં સોપો પડી ગયો
ઉત્તર પ્રદેશના કુશીનગરમાં બુધવારે સવારે ઝેરીલી ટ્રોફી ખાવાથી એક જ પરિવારના ચાર બાળકોના મોત થઈ ગયા છે. મૃતકોમાં બે બાળકો અને બે બાળકીઓ સામેલ છે. ગામમાં એક સાથે ચાર બાળકોના મોતથી હાહાકાર મચી ગયો છે. તો વળી ટ્રોફી ખાવાની ઘટનાનું મુખ્યમંત્રીએ પણ ધ્યાનમાં લીધું છે. તેમણે આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે અને પીડિત પરિવારને તાત્કાલિક સહાય આપવાની સાથે આખી ઘટનાની તપાસ કરવાના આદેશ પણ આપી દીધા છે.
ઘરના દરવાજા પર ટ્રોફી મળી આવી
આ ઘટના કુશીનગરના કસયાના કુડવા ઉર્ફ દિલીપનગરમાં ઘટી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, અહીં અહીં મુખ્યિા દેવીને સવારે પોતાના ઘરના દરવાજા પર ઝાડૂ મારવા ગયા તો, એક પ્લાસ્ટિકની થેલીમાં ટ્રોફી મળી. તેમાંથી ત્રણ ટ્રાફી પોતાના ભાણેજ અને એક ટ્રોફી પાડોશીના બાળકને આપી દીધી. આ ટ્રોફી ખાધા બાદ થોડી વાર જ ચારેય બાળકો બેભાન થઈને જમીન પર પડ્યા હતા.
Uttar Pradesh | We got info that 4 children died after the consumption of toffees which were placed outside their house by someone. Prima facie it's appearing that the toffees were poisonous. Food safety & Forensic team are investigating the matter: Sachindra Patel, SP Kushinagar pic.twitter.com/FI8vz8vWDB
માસૂમ બાળકોની આવી હાલત જોઈને ગામ લોકોએ તાત્કાલિક એમ્બ્યુલન્સને ફોન કર્યો. પણ ઘણી વાર સુધી એમ્બ્યુલન્સ ન આવી તો, બાઈક પર બેસાડીને બાળકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. જ્યાં ડોક્ટરો આ તમામ બાળકોને મૃત જાહેર કર્યા હતા. મરનારા બાળકોની ઉંમર બેથી પાંચ વર્ષની હતી.
પોલીસ કરી રહી છે તપાસ
ગામ લોકોએ જણાવ્યું હતું કે, દરવાજા પર નાખાવામાં આવેલી આ ટ્રોફી ઝેરી હતી. તેના રેપર પર બેઠેલી માખીઓ પણ મરી ગઈ હતી. તેમણે તપાસ માટે એક ટ્રોફીને સુરક્ષિત રાખી છે.
તો વળી આ ઘટનાની જાણ થતાં પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ ત્યાં દોડી આવ્યા હતા. અને મામલાની તપાસ કરી છે. ઘટનાસ્થળ પર એસડીએમ વરુણ કુમાર પાંડેયે જણાવ્યું હતું કે, આ મામલાની તપાસ થઈ રહી છે. ત્યાર બાદ જ બાળકોના મોતની પાક્કી જાણકારી મળશે.