દિલ્હી: જમ્મૂ-કશ્મીરના પૂંછ જિલ્લામાં એલ.ઓ.સી. પર પાકિસ્તાની સ્નાઈપર્સે વધુ એક જવાનનો ભોગ લીધો. જ્યારે કેટલાક જવાનો ઈજાગ્રસ્ત થયા છે. પાકિસ્તાની સ્નાઈપર્સ સતત ભારતીય જવાનોને નિશાન બનાવી રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં ચાર જવાન સ્નાઈપર્સનો ભોગ બનતા શહીદ થયા છે.
શનિવાર અને રવિવારે રાજોરી જિલ્લામાં સુંદરબની અને નૌશેરા સેક્ટરોમાં સેનાના બે જવાનો શહીદ થયા છે. તો એ અગાઉ એક દિવસ પહેલા જમ્મૂ જિલ્લાના અખૂટ સેક્ટરમાં સેનાના એક પોર્ટરનો જીવ ગયો. તો પ્રાપ્ત વિગતો મુજબ જમ્મૂ-કશ્મીરમાં થઈ રહેલા સ્નાઈપર હુમલા પાછળ પાકિસ્તાની ISI જવાબદાર હોવાનું સામે આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાને LOC પર SSG કમાન્ડો તૈનાત કર્યા છે. આ કમાન્ડો દોઢ કિલોમીટર દૂર હુમલો કરવામાં માહેર છે. આ SSG કમાન્ડો ભારતીય જવાનોને પણ નુકસાન પહોંચાડી રહ્યા હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે POKથી તાહિર મસૂદ આ SSG કમાન્ડોને કંટ્રોલ કરી રહ્યો હોવાનું પણ સામે આવ્યો છે.