ઓડિસાની રાજધાની ભુવનેશ્વરના પુરી જિલ્લામાં હાથીના હુમલામાં ચાર લોકોના મોત થયા છે. જ્યારે ત્રણથી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા છે. તો બીજી તરફ પીપિલી શહેરને સીલ કરાયું છે. લોકોને ઘરમાં રહેવા માટે સૂચના અપાઇ છે.
પુરીમાં હાથીનો હુમલો
ચાર લોકોના મોત
3થી વધુ ગંભીર રીતે ઇજાગ્રસ્ત
પીપિલી વિસ્તારમાં જંગલના એક હાથીએ નગર વિસ્તારમાં પ્રવેશ કર્યો હતો જેથી લોકો હાથીને જોવા માટે દોડી આવ્યા હતા. હાથી લોકોની ભીડ જોઇને ભડક્યો હતો અને લોકો પર હુમલો કર્યો હતો. જેમાં ચાર લોકોના મોત થયા છે. અગાઉ પણ હાથીએ એક મહિલા પર હુમલો કર્યો હતો. જેને લઇ સ્થાનિકોમાં ભય ફેલાયો છે.
પીપિલી શહેરને કરાયું સીલ
તો બીજી તરફ હાથીના હુમલાના પગલે તાત્કાલિક કાર્યવાહી કરી વહીવટીતંત્રે પીપિલી શહેરને સીલ કરી દીધું છે. વીજળી વિભાગ દ્વારા આ વિસ્તારમાં વીજ કરંટનો આશરો લેવામાં આવ્યો છે. લોકોનો હાથી સાથે મુકાબલો ન થાય તે માટે ઘરે જ રહેવાની સલાહ આપવામાં આવી છે.
ઓડિસાના પ્રમુખ વન સંરક્ષક એચ. એસ. ઉપાધ્યાયે દુર્ઘટનાની જાણકારી આપતા કહ્યું કે, પુરી જિલ્લામાં બે લોકોના મોત થયા છે, જ્યારે બે અન્ય ઇજાગ્રસ્ત થયા છે. ખોરધા જિલ્લામાં પણ બે લોકોના જીવ ગયા છે. હાથી ચંદકા વન્યજીવ અભ્યારણથી આવ્યો અને પુરી જિલ્લાના ડેલાંગ વિસ્તાર તરફ વળ્યો.
HS Upadhyay, Principal Chief Conservator of Forests: As people are not used to elephant movement in Puri, many people started coming very close to the elephant, clicking photos and even touching it which led to loss of human lives. #Odishahttps://t.co/6XcEmaUqeopic.twitter.com/yPW3in7NjI
તેમણે જણાવ્યું કે, પુરીના લોકોને હાથીઓની ગતિવિધિ વિશે જાણ નથી હોતી. આના કારણે કેટલાક લોકો હાથીની પાસે આવવા લાગ્યા અને અડવા લાગ્યા. એ પણ એક કારણ રહ્યું છે કે વધુ લોકોના મોત થયા છે.