પ્રવાહી ઓક્સિજનના સંગ્રહ માટે ભારતીય વાયુસેના સિંગાપોરથી ચાર ક્રાયોજેનિક કન્ટેનર લાવી છે.
ઓક્સિજન કટોકટી નિવારવા માટે સરકારએ લીધો નિર્ણય
કેન્દ્ર સરકાર હાલમાં દરેક રાજ્યોમાં ઓક્સિજન મળે તે વ્યવસ્થા કરી રહી છે
ઓક્સિજન એક્સપ્રેસ દ્વારા રેલવે અને વાયુસેના પણ આ મિશનમાં જોડાઈ છે
મહત્વનું છે કે છેલ્લા કેટલાક સમયથી દેશમાં ઓક્સિજનની અછત વર્તાઇ રહી છે, ઘણા રાજ્યોમાં મેડિકલ ઓક્સિજન અને બેડની ખેંચના કારણે દર્દીઓને ભરતી કરવામાં ના પાડવામાં આવી રહી હોવાના અહેવાલ હતા જેને લીધે ઘણા દર્દીઓ મોતને પણ ભેટયા છે, પણ હવે આ મુશ્કેલીનો અંત આણવા માટે મોદી સરકારે એક નિર્ણય હેઠળ સિંગાપોરથી ખાસ ભરતીય વાયુસેનાના વિમાનમાં ચાર ક્રાયોજેનિક કન્ટેનરને મંગાવવાનો નિર્ણય કર્યો હતો, જે આજે સિંગાપોરથી આવી ગયા છે.
Four oxygen tankers have left from Panagarh airbase in West Bengal this evening. These high-capacity tankers arrived from Singapore onboard an IAF C17 transport aircraft.
નોંધનીય છે કે આ કન્ટેનર્સને સિંગાપોરથી એરફોર્સના સી -17 વિમાન દ્વારા વિમાનમાં લાવવામાં આવ્યાં હતાં. અધિકારીઓએ જણાવ્યું કે વિમાન, ચાર ક્રાયોજેનિક ઓક્સિજન કન્ટેનર લઇને બપોરે સાડા ચાર વાગ્યે પશ્ચિમ બંગાળના પાનાગઢ એરબેઝ પર પહોંચ્યું હતું.
ભારત કોરોના વાયરસના ચેપની બીજી લહેરની સામે ઝઝૂમી રહ્યું છે અને કોવિડ -19 કેસની વધતી જતી સંખ્યા વચ્ચે ઘણા રાજ્યો મેડિકલ ઓક્સિજન અને બેડની તંગીથી પીડાઈ રહ્યા છે. શુક્રવારથી, ભારતીય વાયુસેના કોવિડ -19 દર્દીઓની સારવારમાં ખૂબ જરૂરી મેડિકલ ઓક્સિજનની ડિલિવરી ઝડપી બનાવવા માટે દેશભરના વિવિધ ફિલિંગ સ્ટેશન પર હવાઈમાર્ગે ખાલી ઓક્સિજન ટેન્કરો અને કન્ટેનર પહોંચાડવાનું શરૂ કરી ચૂકી છે.
સી -17 વિમાન દ્વારા ભારત લવાયા કન્ટેનર્સ
એરફોર્સ દેશના વિવિધ ભાગોમાં કોવિડ -19 હોસ્પિટલો માટે જરૂરી દવાઓ તેમજ જરૂરી સાધનોની પરિવહન પણ કરી રહી છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની કચેરીએ અગાઉ ટ્વિટ કર્યું હતું કે ભારતીય વાયુસેના ઓક્સિજન અને અન્ય મહત્વપૂર્ણ ચીજોના પુરવઠા માટેના ટ્રાન્સપોર્ટેશનનો સમય ઘટાડવા માટે ફ્લાઇટ્સ ચલાવી રહી છે. સિંગાપોરના ચાંગી એરપોર્ટ પર આજે સી -17 વિમાન આવ્યું છે. ક્રાયોજેનિક ઓક્સિજન ટેન્ક્સના આ કન્ટેનર દેશમાં ઓક્સિજનનો પુરવઠો વધારવામાં મદદ કરશે.
મોટાભાગના રાજ્યોમાં ઓક્સિજનની તંગી
મહત્વનું છે કે કોરોના વાયરસના કેસમાં વધારો થયા પછી, આખા દેશમાં ઓક્સિજનની માંગમાં ઘણો વધારો થયો છે. પાટનગર દિલ્હી સહિત ઘણા રાજ્યો સમયસર ઓક્સિજન પહોંચાડવા માટે કેન્દ્રનો સંપર્ક સાધી રહ્યા છે. ઓક્સિજન એક્સપ્રેસ પણ ભારતીય રેલ્વે દ્વારા સમયસર હોસ્પિટલોમાં ઓક્સિજન પહોંચાડવા માટે દોડી રહી છે. આ સિવાય સૈન્યની મદદથી ઓક્સિજન ટેન્કર પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવામાં આવી રહ્યા છે.