ગુજરાતના ચાર શહેરો કોરોનાની અસરકારક સારવાર શોધવા માટે વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા થનારા ક્લિનીકલ પરીક્ષણોમાં ભાગ લેશે. જેમાં અમદાવાદ સહિત સુરત, વડોદરા અને રાજકોટનો સમાવેશ થાય છે. આ ટ્રાયલમાં ચાર દવાઓ રેમડેસિવીર, લોપિનાવિર, હાઈડ્રોક્સિક્લોરોક્વિન અને ઈંટરફેરોનની કોરોનાના દર્દીઓ પર અસરના ધોરણ પર તેનો ભવિષ્ય નક્કી કરાશે.
અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં થશે ટ્રાયલ
સારવારના ચાર વિકલ્પોની ચર્ચા કરવામાં આવશે
આ ટ્રાયલમાં 100 દેશો ભાગ લેશે
ગુજરાતના મુખ્ય આરોગ્ય સચિવ જયંતી રવિએ જણાવ્યું હતું કે ક્લિનિકલ ટ્રાયલ ઉપરાંત દર્દીઓના સ્વાસ્થ્યમાં સુધારણા, મૃત્યુદર, વેન્ટિલેટર સપોર્ટની જરૂરિયાત અને અન્ય દવાઓની પ્રતિક્રિયા અંગે પણ ચર્ચા કરવામાં આવશે.
ક્લિનિકલ ટ્રાયલમાં ભાગ લેવા અમદાવાદની બીજે મેડિકલ કોલેજ અને સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલ, વડોદરાની ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી મેડિકલ કોલેજ, સુરતની નવી સિવિલ હોસ્પિટલ અને રાજકોટની પંડિત દીનદયાળ ઉપાધ્યાય મેડિકલ કોલેજની ક્લિનિકલ ટ્રાયલ માટે પસંદગી કરવામાં આવી છે. વિશ્વના 100 જેટલા દેશો આ પરિક્ષણમાં ભાગ લેશે.
સારવારના ચાર વિકલ્પોની ચર્ચા કરવામાં આવશે
ડબ્લ્યુએચઓ અનુસાર, ટ્રાયલ દરમિયાન કોરોના સારવાર માટેના ચાર વિકલ્પોનો તેમના પરસ્પર અસરોના આધારે અભ્યાસ કરવામાં આવશે. તેનો ઉદ્દેશ ઝડપથી શોધવાનું છે કે શું ચાર દવાઓમાંથી કોઈ પણ રોગની સ્પીડ ઘટાડી શકે છે, તેને અટકાવે છે અથવા તેનાથી બચવાની સંભાવનાને સારી બનાવે છે.
અન્ય દવાઓને તેનો સારવારમાં સમાવેશ કરવાની જરૂર છે કે કેમ તેનો નિર્ણય ટ્રાયલના પુરાવાના આધારે લેવામાં આવશે.