નાની ઉંમરમાં સંસાર છોડીને મોક્ષના માર્ગે ચાલી નિકળવા 4 ભૂલકાઓ તૈયાર થયા છે. સુરતમાં એકસાથે 4 બાળકો મુમુક્ષની દીક્ષા લેવા જઈ રહ્યા છે. આગામી 1 ફેબ્રુઆરીએ 4 બાળકો આચાર્ય યશોવિજય સુરીશ્વરજીના હસ્તે દીક્ષા ગ્રહણ કરશે.
સુરતમાં એકસાથે 4 બાળકો લેશે દીક્ષા
આગામી 1 ફેબ્રુઆરીએ 4 બાળકો લેશે દીક્ષા
આચાર્ય યશોવિજય સુરીશ્વરજીના હસ્તે લેશે દીક્ષા
દીક્ષા નગરી સુરતમાં એકસાથે 100થી વધુ દિક્ષાર્થીનો 1 ફેબ્રુઆરીએ દીક્ષા લઇ સંયમનો માર્ગ અપનાવશે. જેમાં 4 બાળકો પણ દીક્ષા લેશે. 13 વર્ષનો યશ અને તેનો 14 વર્ષનો ભાઈ પરમ સાથે દીક્ષા ગ્રહણ કરશે. તો 16 વર્ષની ભક્તિ અને 12 વર્ષનો અર્થ પણ દીક્ષા લેશે. જ્યારે મુંબઇ ખાતે સુરતના હીરા વેપારીના 11 વર્ષીય તત્વ દીક્ષા લેશે. આ દીક્ષા કાર્યક્રમમાં એક સાથે છ પરિવાર દીક્ષા લેશે. તો સાથે જ હીરાનો વેપાર કરનાર વેપારીનો આખો પરિવાર દીક્ષા લેવાનો છે.
બીજી તરફ સુરતમાં કરોડોની સંપત્તિનો ત્યાગ કરીને હીરાના વેપારી વિજય મહેતા પરિવાર સાથે દીક્ષા લેશે. વિજય મહેતા તેમના પત્ની અને પુત્રીઓ સાથે દીક્ષા લેશે. આગામી 27 જાન્યુઆરીએ સમગ્ર પરિવાર કરોડોની સંપત્તિ છોડી સંયમના માર્ગે જશે. કરોડોની સંપત્તિનો ઉપયોગ ગરીબોને દાન આપવામાં અને પાંજરાપોળમાં ઉપયોગ કરાશે.
કર્ણાટક, મહારાષ્ટ્ર, રાજસ્થાન જેવા બીજા રાજ્યોમાંથી અને ગુજરાતના વિવિધ શહેરોમાંથી આવેલા દીક્ષાર્થીઓ સુરતમાં દીક્ષા લેશે. વિજય શ્રેયાંશપ્રભસુરીસ્વરજી મહારાજ, તપોરત્નસુરીશ્વરજી મહારાજ અને કલ્યાણરત્નસુરીશ્વરજી મહારાજ તેમને પ્રતિજ્ઞા લેવડાવશે.