ભાવનગરનાં રાજવી ભાવસિંહજી પહેલાએ વિક્રમ સવંત 1723ના દિવસે વડવા ગામે ભાવનગરનો પાયો નાખ્યો હતો. ત્યાં તોરણ બાંધીને ભાવનગરની સ્થાપના કરી હતી. આજે 297ના વર્ષમાં ભાવનગરનો પ્રવેશ થયો છે.
પરંતુ રાજયનાં અન્ય શહેરોની માફક ભાવનગરનો વિકાસ થયો નથી. જેનું મુખ્યકારણ રાજકીય લોકોની નબળી ઈચ્છાશક્તિ હોવાનું ઇતિહાસવિદો અને નગરજનોમાંની રહ્યાં છે.
આઝાદી ના સમયે અખંડ ભારતના સરદાર વલ્લભભાઇ પટેલનાં સ્વપ્નને સાકાર કરવા તે સમયના રાજવી કૃષ્ણકુમારસિંહજીએ સૌ પ્રથમ દેશને સમર્પિત કર્યું હતું અને આ વાત આજે પણ ભારતના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં લખાયેલ છે. ભાવનગરના રાજવીઓ દીર્ઘ દ્રષ્ટિવાળા હતાં. ભાવનગરનાં રાજવીએ સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ વખત દરબાર બેંકની સ્થાપના કરી હતી.
આ ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્રમાં નમૂનેદાર ભૂગર્ભ ગટર યોજના, પીવાના પાણીના જળાશયો સહીતની અનેક સુવિધા ઉભી કરી હતી. ભાવનગર માં તખ્તેશ્વર મંદિર, તખ્તસિંહજી હોસ્પિટલ, દરબારી કોઠાર અને ગંગાદેરી સહીતના અનેક શિલ્પ સ્થાપત્યો નગરજનોને ભેટ આપેલ છે.
ભાવનગરમાં અલંગ શીપ બ્રેકીંગ યાર્ડ, ડાયમંડ અને પ્લાસ્ટિક ઉધોગો જેવા અનેક ઉધોગો મહત્વનાં છે. ભાવનગરના રાજવીની સમાધિ ઉપર મારી પ્રજાનું કલ્યાણ થાજો એ વાક્ય જોવા મળે છે પરંતુ આજના રાજકીય લોકો આ વાત ભૂલી ગયા છે.