પંજાબમાં કોરોનાના 81 ટકા સેમ્પલમાં યૂકે વેરિઅન્ટ મળતા હાહાકાર મચ્યો છે. દેશમાં એક દિવસનો મૃત્યુઆંક પણ વધીને 277 થયો છે.
દેશમાં કોરોનાના નવા કેસ 47 હજાર 239
પંજાબમાં કોરોનાના 81 ટકા સેમ્પલમાં યૂકે વેરિઅન્ટ
પંજાબમાં સતત બગડી રહી છે સ્થિતિ
ભારતમાં ફરી કોરોનાના દૈનિક કેસ વધ્યા છે. એક દિવસમાં દેશમાં કોરોનાના નવા કેસ 47 હજાર 239 આવ્યા છે અને સાથે જ એક દિવસમાં કોરોનાથી 23 હજાર 913 દર્દી રિકવર થયા છે. અહીં મૃત્યુઆંક પણ વધ્યો છે. એક દિવસમાં દેશમાં કોરોનાથી 277 લોકોના મૃત્યુ થયા હોવાનું જાણવા મળ્યું છે. ભારતમાં કોરોનાના એક્ટીવ કેસ 3 લાખ 65 હજાર 369 થઈ ચૂક્યા છે. તો ભારતમાં કોરોનાના કુલ કેસ 1 કરોડ 17 લાખ 33 હજાર 594 પહોંચ્યા છે. દેશમાં કોરોનાથી રિકવર દર્દીની કુલ સંખ્યા 1 કરોડ 12 લાખ 3 હજાર 16ની થઈ છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 1 લાખ 60 હજાર 477નો જોવા મળી રહ્યો છે. દેશમાં લાંબા સમય બાદ એક દિવસનો મૃત્યુઆંક પણ વધ્યો છે.
પંજાબમાં 81 ટકા કેસમાં યૂકેનો વેરિઅન્ટ મળ્યો
પંજાબમાં કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. અહીં યૂકેનો નવો સ્ટ્રેન મળતા હડકંપ મચ્યો છે. સરકારે 401 સેમ્પલમાંથી 81 ટકામાં યૂકેનો સ્ટ્રેન હોવાની પુષ્ટિ કરી છે. આ પછી લોકોને જલ્દી જ વેક્સીન મૂકાવવાની અપીલ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કરી છે.
महाराष्ट्र में पिछले 24 घंटों में #COVID19 के 28,699 नए मामले सामने आए हैं। 13,165 लोग डिस्चार्ज हुए और 132 मृत्यु दर्ज़ की गई।
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે 1 એપ્રિલથી 45 વર્ષની ઉપરના લોકોને પણ વેક્સીન લગાવાશે. દેશમાં વેક્સીન પૂરતા પ્રમાણમાં મળી રહે છે. કેબિનેટે વેક્સીનેશનને વધારવાનો નિર્ણય લીધો છે. અત્યાર સુધી કુલ 4 કરોડ 85 લાખ લોકોને વેક્સીન અપાઈ છે. 80 લાખ લોકોને વેક્સીનનો બીજો ડોઝ પણ અપાઈ ચૂક્યો છે.
મહારાષ્ટ્રમાં 28699 કેસ અને 132 મોત
કોરોનાથી સૌથી પ્રભાવિત રાજ્યોમાં મહારાષ્ટ્ર મોખરે છે. અહીં ટેસ્ટિંગને વધારવાનો નિર્ણય લેવાયો છે. અહીં રિકવરી રેટ 88.73 ટકાનો રહ્યો છે. તો મોતનો દર 2.12 ટકા હોવાનું જાણવા મળી રહ્યું છે. રાજ્યમાં હાલમાં 2,30, 641 એક્ટિવ કેસ છે.
કોરોનાના કેસને લઇને મુંબઈ કોર્પોરેશને કેટલાક કડક નિર્ણયો કર્યા છે. મુંબઈમાં હવે રેન્ડમ એન્ટીજન ટેસ્ટ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. સરકારી ઓફિસ,બજારો અને પર્યટન સ્થળો, બસ સ્ટોપ્સ,ફૂડ સ્ટ્રીટ શોપિંગ મોલ્સ રેલવે સ્ટેશનમાં ટેસ્ટ કરવામાં આવશે. શહેરમાં ટેસ્ટ ફરજિયાત કરી દેવાયા છે. સામેવાળા વ્યક્તિની મંજૂરી વગર જ તેનો ટેસ્ટ કરવામાં આવશે.
નાગપુરમાં 31 માર્ચ સુધી લોકડાઉન લંબાવાયું
મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના વધી રહેલા કેસોની વચ્ચે નાગપુરમાં 31 માર્ચ સુધી લોકડાઉન લંબાવી દેવાયું છે. મહારાષ્ટ્રના મંત્રી નીતિન રાઉતે લોકડાઉન વધારવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે ફળ-શાકભાજી સહિત જીવન જરુરીયાતની વસ્તુઓની દુકાનો સાંજના 4 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે. કોરોનાના કેસો વધી રહ્યાં હોવાને કારણે નાગપુરમાં તમામ પ્રકારના પ્રતિબંધો 31 માર્ચ સુધી ચાલુ રહેશે.