સુરત: પુનાગામ ગામ સ્થિત સહારા દરવાજા ખાતે સંગમ ટેકરી વિસ્તાર આવેલ છે. અહીં આવેલ એક ખંડેર મકાનમાં આશરે 35 વર્ષીય અજાણી મહિલાની લાશ સોમવારની સમી સાંજે મળી આવી હતી. મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવતા જોઈન્ટ સીપી સહિતના અધિકારીઓ તેમજ પુના પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે મહિલાનું મોઢું કોઈ બોથર્ડ પદાર્થ વડે છુંડી નાખવામાં આવ્યું હતું. મહિલાની ઓળખ ન થાય તે માટે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ક્રુરતાપૂર્વક હત્યાં કરી દેવામાં આવી હતી. પોલીસ તપાસમાં મહિલાનું નામ મસયકા ઉર્ફે ગીતા રામુભાઈ ચૌધરી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે મહિલાની લાશને એમ્બ્યુલન્સ દ્વારા પોસ્ટ- મોર્ટમ અર્થે સુરતની સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડી હતી. મહિલાની હત્યા પાછળ મોટુ રહસ્ય ઘેરાઈ રહ્યું છે.
જો કે મૃતક મહિલાના પરિવારજનોની ભાળ મળતા પોલીસે પુછપરછનો દૌર શરૂ કર્યો છે. મહિલાની હત્યા કોણે અને ક્યાં કારણોસર કરી તે દિશામાં પોલીસ હાલ તપાસ ચલાવી રહી છે. પોલીસ આ હત્યાના ગુનાને કેટલા સમયમાં ઉકેલી કાઢી આરોપીઓને ઝડપી પાડે છે તે બાબત જોવી રહી.