સફદરજંગ અન્ક્લેવના હુમાયુપુર ગામમાં તુગલકની એક 600 વર્ષ જૂની ઐતિહાસિક બિલ્ડિંગ પર વિવાદ થયો છે. આ ઇમારત દિલ્હીના આર્કિયોલોજી વિભાગ હેઠળ આવે છે. ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચર હેરિટેજ (ઇન્ટેક) મુજબ આ બિલ્ડિંગનું ગુંબજ તરીકે વર્ણન કરવામાં આવ્યું છે. હાલમાં અહીં એક શિવ મંદિર છે. 47 વર્ષ માટે આ મંદિરમાં શિવાલિંગ અને અન્ય દેવોની મૂર્તિઓ સ્થાપિત થયેલ છે.
સ્થાનિક લોકોનો આરોપ છે કે ધાર્મિક મુદ્દો બનાવીને ગામમાં વિવાદ ઉભો કરવામાં આવી રહ્યો છે.સૌથી ખાસ વાત એ છે કે આઝાદી બાદ આ સ્થળની મુલાકાત ખુદ તંત્રએ પણ નથી લીધી એક ઉચ્ચ અધિકારીના જણાવ્યા પ્રમાણે ૧૮ વર્ષથી આ ઈમારતને સંરક્ષણ વિભાગને સોપવામાં આવેલ છે.જેમાં હુમાયુપુર ગામના તુગલક કાલીન મકબરાને પણ જોડી દેવામાં આવેલ છે.
ઉલ્લેખનીય છે કે આઠ મહિના પહેલા એક ટીમ આ ઐતિહાસિક ઈમારતના સંરક્ષણ આવેલ પરંતુ ત્યારે ત્યાં સામાન ભરેલો હતો. જો કે આ ટીમનો સ્થાનિક લોકોએ વિરોધ પણ કર્યો હતો અને ખાલી હાથ પરત ફરવું પડ્યું હતુ. એક ઉચ્ચ અધિકારીના જણાવ્યાનુસાર 1929 માં મૌલવી ઝફર હસન દ્વારા એક પુસ્તકમાં આ મકબરાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
પ્રથમ વખત બની સંરક્ષણની યોજના
સમય સાથે ભુલાવી દેવામાં આવેલ આ બિલ્ડિંગની રચના પછીથી પ્રથમ વખત ગત સરકારે સુરક્ષા યોજના બનાવી. અને તેની જવાબદારી ઇન્ટેકને આપેલ છે સંસ્થાના જણાવ્યા અનુસાર બિલ્ડિંગ પર તાળું લગાવેલ હોવાથી તેની સુરક્ષા થઇ શકતી નથી.
કેસરિયા રંગથી રંગાઇ ઇમારત
સ્થાનિક નિવાસી દિલીપ કુમારે જણાવ્યું હતું કે પ્રથમ અઠવાડિયામાં લોકોએ બિલ્ડિંગને કેસરિયા અને સફેદ રંગથી રંગી હતી. અહીં રાધા કૃષ્ણની મૂર્તિ સ્થાપિત થઈ. બિલ્ડિંગના એક ખૂણામાં શિવ કુટુંબ અને બીજા ખૂણાંમાં દેવી કાત્યાયની અને ગણેશ ભગવાનની પત્થરોની મૂર્તિ પહેલાથી સ્થાપિત છે.
સરકારે આપ્યા તપાસના આદેશ
રાજ્યના ઉપમુખ્યપ્રધાનના જણાવ્યા મુજબ ઇંટેક દ્વારા કરવામાં આવેલ તાળાની ફરિયાદ બાદ સરકારે આ મામલે તપાસના આદેશ જાહેર કર્યા છે અને આ ઐતિહાસિક સ્થળ વિશેની એક રિપોર્ટ પણ સરકારમાં જમાં કરવા જણાવાયેલ છે.