પૂર્વી લદ્દાખમાં ચાલી રહેલા અડચણમાં ચીન સાથે વાસ્તવિક વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) ની નજીક દૌલાત બેગ ઓલ્ડિ (ડીબીઓ) એરસ્ટ્રીપ મહત્વની ભૂમિકા નિભાવી રહી છે. પરંતુ આ હવાઈ પટ્ટી સરકારની લેખિત મંજૂરી લીધા વિના ભારતીય વાયુસેના દ્વારા ફરીથી ખોલવામાં આવી હતી. આ દાવો ભૂતપૂર્વ વાઇસ ચીફ એર માર્શલ (નિવૃત્ત) પ્રણવ કુમાર બાર્બોરાએ રવિવારે કર્યો હતો.
1965 બાદ 2008માં શરૂ કરવામાં આવી એરસ્ટ્રીપ
વાયુસેના ત્યારબાદ સરકારને આપી જાણકારી
ઉલ્લેખનીય છે કે ડીબીઓ વિશ્વની સૌથી ઉંચાઇ ધરાવતી એડવાન્સ્ડ લેડિંગ ગ્રાઉન્ડમાંથી એક છે. અંદાજે 16,800 ફુટથી પણ ઉપરની ઉંચાઇમાં આવેલ આ લેન્ડિંગ ગ્રાઉન્ડની એરસ્ટ્રીપનો ઉપયોગ AN-32 અને C-130J સુપર હર્યુલિસ જેવા મોટા માલવાહક સૈન્ય વિમાનોને ઉપયોગ માટે કરવામાં આવે છે.
ભૂતપૂર્વ વાઇસ ચીફ એર માર્શ બાર્બોરાને જ્યારે પુચવામાં આવ્યું કે ભારતીય વાયુસનેએ સરકારી મંજૂરી લીધા વિના આ એરસ્ટ્રીપને બીજી વખત ચાલુ કરી હતી તો તેઓએ આ અંગે પુષ્ટી કરી હતી.
પૂર્વ વાઇસ ચીફ એર માર્શલ બાર્બોરાએ કહ્યું કે એરસ્ટ્રીપને બીજી વખત ચાલુ કરવા માટે લેખિત જેવું કશું નહોતું. સરકારને માત્ર લેડિંગ પૂરી થયા બાદ મારું ત્યાંથી પરત ફરવા અંગેની જાણકારી આપવામાં આવી હતી.
જો કે તેને લઇને સરકારની શું પ્રતિક્રિયા હતી તેમ પૂછવામાં આવતાં કહ્યું કે સરકારે મને પૂછ્યું કે તમે કેમ આવું કર્યું ? જેને લઇને માત્ર એટલું જ કહેવામાં આવ્યું કે સૈનિકોનો સામાન સાચી પરિસ્થિતિમાં રાખવો વાયુસેનાની જવાબદારી છે.