દેહરાદૂનઃ કોંગ્રેસ મહાસચિવ હરીશ રાવતે આજે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી જો સત્તામાં આવશે તો તેઓ અયોધ્યામાં રામ મંદિર બનાવવાના તમામ પ્રયાસ કરશે. એક સંમેલનમાં રાવતે કહ્યું કે, અયોધ્યા વિશે મારૂ નિવેદન પહેલા પણ આવી ચૂક્યું છે કે અમારી પાર્ટી સત્તામાં આવશે તો અમે રામ મંદિર બનાવવાના તમામ પ્રયાસ કરીશું. મારા આ મંતવ્ય પાર્ટીનું પણ માનવું જોઇએ.
તેમણે કહ્યું કે, માત્ર કોંગ્રેસ પાર્ટીએ જ પૂર્વ સત્તામાં હતી તે દરમિયાન બે વાર રામ મંદિર બનાવવાનો ગંભીર પ્રયાસ કર્યો છે. અને આ વાત વરિષ્ઠ ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પણ સ્વીકારી હતી.
રાવતે ભાજપ પર આ મુદ્દાને લઇને રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે કેન્દ્રને આ સંબંધમાં એક ફેસિલિટેટરની ભૂમિકા નિભાવવી જોઇએ.