બિહાર વિધાનસભા ચૂંટણીના થોડા સમય પહેલા પત્ર લખી RJDમાંથી રાજીનામું આપનારા દિગ્ગજ નેતા રઘુવંશ પ્રસાદ સિહને લઇને મહત્વના સમાચાર આવ્યાં છે. સૂત્રોને મળતી જાણકારી મુજબ તેમની તબિયત શુક્રવારે મોડી રાત્રે વધારે બગડી છે. તેઓને હાલમાં વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે.
દિલ્હી એમ્સમાં દાખલ રઘુવંશ પ્રસાદની તબિયત વધુ લથડી
સૂત્રો મુજબ, મોડી રાત્રે વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં
તબિયત બગડતા એમ્સ હોસ્પિટલના ICU માં કરાયા હતા દાખલ
RJDમાંથી રાજીનામું આપનાર દિગ્ગજ નેતા તેમજ પૂર્વ કેન્દ્રીય મંત્રી રઘુવંશ પ્રસાદ સિંહની તબિયત મોડી રાત્રે લથડી છે. તેમના શરીરમાં નમકની ઉણપ અને લોહીના ભ્રમણને લઇને ફરિયાદ સામે આવી છે. રઘુવંશ પ્રસાદનો ઇલાજ હાલ દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં ચાલી રહ્યો છે.
પૂર્વ કેન્દ્રિય મંત્રી રઘુવંશ પ્રસાદ સિંહની તબિયત અચાનક બગડવાના કારણે દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. હાલમાં તેઓનો ઇલાજ ચાલી રહ્યો હતો. આ વચ્ચે તેમની વધુ તબિયત બગડવાની સૂચના પ્રાપ્ત થઇ રહી છે.
ઉલ્લેખનીય છે કે એમ્સ હોસ્પિટલમાં શિફ્ટ કરાયા બાદ રઘુવંશ પ્રસાદ સિંહાએ RJD અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવના નામ પર પત્ર લખેલો સામે આવ્યો હતો. જેમાં તેમણે RJDમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. જો કે લાલુ પ્રસાદ યાદવ દ્વારા તે નામંજૂર કરવામાં આવ્યું હતું.