કેન્દ્રીય કેબિનેટમાં મંત્રી અને ખાદ્ય પ્રસંસ્કરણ મંત્રાલયનો હવાલો સંભાળતા હરસિમરત કૌરે ગઈ કાલે તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું. સરકારના સૂચિત ખેડૂત બિલના વિરોધમાં તેમણે રાજીનામું આપ્યું હતું. રાજીનામું આપ્યા બાદ તેમણે મોદી સરકાર પર પ્રહારો પણ કર્યા હતા.
ખેડૂતો મુદ્દે હરસિમરત કૌર આક્રમક
રાજીનામા બાદ કર્યા આક્ષેપ
ખેડૂત વિરોધી બિલ હોવાનો આક્ષેપ
મોદી કેબિનેટમાંથી રાજીનામું આપનારા શિરોમણી અકાલી દલના સાંસદ હરસિમરત કૌરે રાજીનામું આપ્યા બાદ મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે ખેડૂત વિરોધી બિલ હોવાના લીધે તેમણે આ બાબતે રાજીનામું આપ્યું હતું અને કહ્યું હતું કે સરકારે આ બિલ લાવતા પહેલા ખેડૂતોને વિશ્વાસમાં લીધા નહોતા. આ બીલના કારણે દેશભરમાંથી ખેડૂતો સતત 2 મહિનાથી રસ્તાઓ ઉપર આવી રહ્યાં છે અને અનેકો રાજ્યોમાં આ બાબતનો વિરોધ કરી રહ્યાં છે.
'હું આવી સરકારનો હિસ્સો ન રહી શકું'
તેમણે વધુમાં જણાવ્યું હતું કે હું આવી સરકારનો હિસ્સો ન રહી શકું જે ખેડૂત વિરોધી હોય. તેમણે સમજવું જોઈએ કેમ કે અંગ્ર દેશનું અર્થતંત્ર ખેતી પર ચાલી રહ્યું છે. જો આવી સ્થિતિમાં પ્રાઇવેટ પ્લેયર્સને પરમિશન આપવામાં આવ્હ્સે તો તેઓ કૃષિ સેકટરને નષ્ટ કરી દેશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે જ્યાં સુધી ખેડૂતોની સમસ્યા હલ નહિ થાય ત્યાં સુધી આગળ નહિ વિચારીએ.
I have resigned from Union Cabinet in protest against anti-farmer ordinances and legislation. Proud to stand with farmers as their daughter & sister.
જો કે હરસિમરત કૌરના આ રાજીનામાને પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંઘે અકાલીઓનું નાટક કહીને વખોડી કાઢ્યું હતું, ઉલ્લેખનીય છે કે તેમણે શિરોમણી અકાલી દળને આ મુદ્દે ભાજપ સાથેનું ગઠબંધન તોડી નાખવાની માંગણી કરી હતી.
આમ આદમી પાર્ટી પણ વિરોધમાં
આમ આદમી પાર્ટીના પ્રમુખ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ સરકારના આ કૃષિ બિલ વિષે વિપક્ષોને એક સાથે વિરોધ કરવાની હાકલ કરી હતી. તેમણે કહ્યું હતું કે "બધા વિપક્ષોએ સાથે આવીને રાજ્યસભાઓમાં સરકારના આ ત્રણ ખેડૂત બિલનો વિરોધ કરે, તેઓ મહેરબાની કરીને વોકઆઉટનો કોઈ પણ ડ્રામા ન કરે કેમ કે સમગ્ર દેશના ખેડૂતો તેમણે જોઈ રહ્યાં છે, તેમણે કહ્યું હતું કે આ ત્રણેય બિલ ખેડૂતોને મોટી કંપનીઓના હાથે શોષણ માટે છોડી દેશે"
केंद्र के तीनों विधेयक किसानों को बड़ी कंपनियों के हाथों शोषण के लिए छोड़ देंगे
मेरी सभी ग़ैर भाजपा पार्टियों से बिनती है कि राज्यसभा में एकजुट होकर इन विधेयकों का विरोध करें, सुनिश्चित करें कि आपके सभी MP मौजूद हों और वॉकआउट का ड्रामा ना करें। पूरे देश के किसान आपको देख रहे हैं
પંજાબમાં આપ, કોંગ્રેસ ને અકાલી દલ આ ત્રણેય પાર્ટીઓ કેન્દ્રના ખેડૂત બિલ ની વિરુદ્ધમાં સંગઠિત થઈ જતાં હાલમાં હરિયાણામાં ભાજપની સહયોગી પાર્ટી જનનાયક જનતા પાર્ટીની ઉપર પણ ભાજપ સાથે આ મુદ્દે ગઠબંધન બાબતે ફેરવિચારણા કરવાનું દબાણ વધી રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે હરિયાણા અને પંજાબ બંને કૃષિ પ્રધાન રાજ્યો છે અને ભારતના ખાદ્યાન્નની ઘણી મોટી જરૂરિયાત તેઓ પૂર્ણ કરે છે ત્યારે ખેડૂતો માટે કોઈ પણ મુદ્દે વિરોધની વાત હોય તો આ રાજ્યોની પાર્ટીઓમાં પગલા લેવાનું દબાણ સર્જાતું હોય છે.
હાલમાં હરિયાણામાં ભાજપ અને જજપાની સંયુક્ત સરકાર છે અને હરિયાણામાં કોંગ્રેસના હુમલા બાદ હવે દુષ્યંત ચૌટાલા શું નિર્ણય કરે છે તેના પર હરિયાણાની ભાજપ સરકારનું અસ્તિત્વ અવલંબે છે. નોંધનીય છે કે પંજાબની જેમ હરિયાણામાં પણ ખેડૂત પોલિટિક્સ બહુ જ સંવેદનશીલ અને ગાજતો મુદ્દો છે.