પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના પૂર્વ ચેરમેન અને સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ માર્કેન્ડેય કાત્જુએ ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીને લઈને એક આકરું નિવેદન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે શું તમને દેશના 20 મિલિયન લોકો દેખાતા નથી જે બેરોજગાર થઈ ગયા છે? તમે તે લોકોની જગ્યાએ સુશાંતની આત્મ હત્યાની વાત કરી રહ્યા છો!
માર્કેન્ડેય કાત્જુ સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ છે
સુશાંત રિયાના કેસ મુદ્દે સુબ્રમણ્યમ સ્વામી પર ભડક્યા કાત્જુ
બેરોજગારોના મુદ્દે સ્વામી પર ભડક્યા પૂર્વ ન્યાયાધીશ
પોતાના આખાબોલા સ્વભાવ માટે જાણીતા સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ માર્કેન્ડેય કાત્જુએ એક ટ્વિટ કરી હતી જેમાં તેમણે સુશાંતના મુદ્દા માટે ભાજપી સાંસદ સુબ્રમણ્યમ સ્વામીને આડેહાથ લીધા હતા. તેમણે નામ લીધા વગર કહ્યું હતું કે દેશમાં હાલમાં 20 મિલિયન લોકો બેરોજગાર થઈ ગયા છે તેની તમને પડી નથી અને તમે સુશાંતના મુદ્દાને ચગાવી રહ્યા છો. આ પ્રાયોરિટીના ધોરણે યોગ્ય વાત નથી.
Is Sushant Singh Rajput’s death really relevant ? 20 million Indians have lost their jobs since March, but no one talks of that. Talk of Sushant’s death betrays lack of a sense of proportion and priorities
ભાજપના રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામી હાલમાં સુશાંત કેસને લઈને બહુ એક્ટિવ રહ્યા છે, નોંધનીય છે કે તેમણે આ મુદ્દે સીબીઆઇ તપાસ માટે પીએમ મોદીને પણ પત્ર લખ્યો હતો. આ કેસને તેમણે બોલિવૂડના વૉટરલૂ અને વૉટરગેટ કાંડ તરીકે પણ ઓળખાવ્યો હતો. આ બાબતે તેમણે અગાઉ પણ ટ્વિટ કરી હતી જેમાં તેમણે કહ્યું હતું કે તેમને શંકા છે કે સુશાંતની હત્યા થઈ છે. તેથી તેને ન્યાય મળવો જ જોઈએ.
જો કે હાલમાં એક સમાચાર આવ્યા હતા કે જેમાં કેન્દ્રીય સરકારની એક એજન્સી CMIEએ એક રિપોર્ટ પબ્લિશ કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે દેશમાં હાલમાં ચાલી રહેલા કોરોના સંકટના લીધે અત્યાર સુધીમાં 20 મિલિયન જેટલા લોકોએ પોતાની રોજગારી ગુમાવી હતી. આ રિપોર્ટને લઈને જ માર્કેન્ડેય કાત્જુએ સ્વામી પર નામ લીધા વિના પ્રહાર કર્યા હતા જેમાં તેમણે દેશના બેરોજગારોની જગ્યાએ સુશાંત કેસના લડવા માટે સ્વામી પર કટાક્ષ કર્યો હતો. અને તેને પ્રાયોરિટીની અયોગ્યતા ગણાવી હતી.