'ગ્રાઉન્ડ સ્ટાફ ઘણા બહાના બનાવી રહ્યા હતા અને તેમનું વર્તન પણ ઘણું ખરાબ હતું. મારા સિવાય ત્યાં બીજા ઘણા મુસાફરોને પણ પરેશાન કર્યા.' - બોલ્યા ક્રિકેટર
ઓલરાઉન્ડર ઈરફાન પઠાણ અને તેના પરિવાર સાથે એરપોર્ટ પર થયું ખરાબ વર્તન
ઇરફાને હાલ જ સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આ વિશે કર્યો ખુલાસો
તેની પત્ની અને બે બાળકો સાથે થયા પરેશાન
ભારતીય ટીમના પૂર્વ સ્ટાર ઓલરાઉન્ડર ઈરફાન પઠાણ અને તેના પરિવારને એરપોર્ટ પર ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડ્યો હતો. સાથે જ એમની સાથે ઘણું ખરાબ વર્તન પણ કરવામાં આવ્યું હતું. ઈરફાન અને તેના આખા પરિવારને એરપોર્ટ પર ચેક ઇન કાઉન્ટર પાસે લગભગ દોઢ કલાક સુધી ઊભા રાખવામાં આવ્યા હતા.
આ આરોપ ઈરફાન પઠાણે પોતે લગાવ્યા છે. ઇરફાને હાલ જ સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આ વિશે ખુલાસો કરતાં વાત શેર કરી હતી. સાથે જ ઇરફને એમ પણ જણાવ્યું હતું કે તેની સાથે તેની પત્ની અને બે બાળકો પણ હતા.
Those who are patient in unfavorable circumstances and forgive mistakes are the doers of excellence. PROPHET MOHAMMED SAW. PBUH #fridaypic.twitter.com/Ul0mxcEsy8
એશિયા કપની કોમેન્ટ્રી પેનલમાં છે ઈરફાન
તમને જણાવી દઈએ કે ઈરફાન પઠાણ બુધવારે એટલે કે 24 ઓગસ્ટના રોજ પરિવાર સાથે દુબઈ જવા માટે મુંબઈ એરપોર્ટ પર પંહોચ્યાં હતા. ત્યાંથી એમને દુબઈ માટે ફ્લાઈટ લેવાની હતી. એ દરમિયાન એરપોર્ટ પર તેની સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવ્યો હતો. ઈરફાન પઠાણ એશિયા કપ 2022ની કોમેન્ટ્રી પેનલમાં સામેલ છે. આ ટૂર્નામેન્ટ 27 ઓગસ્ટથી UAEમાં શરૂ થવા જઈ રહી છે અને તેના માટે જ ઈરફાન પઠાણ તેના પરિવાર સાથે દુબઈ જવા રવાના થયા હતા.
પત્ની અને બે બાળકો સાથે થયા પરેશાન
હાલ ઇરફાને એક પોસ્ટ શેર કરીને લખ્યું હતું કે, 'બુધવારે મુંબઈથી દુબઈ માટે ફ્લાઇટ યુકે-201 થી હું અને મારો પરિવાર દુબઈ જવાનો હતો. એ સમય દરમિયાન ચેક-ઇન કાઉન્ટર પર મારી સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું, મારી ટિકિટ કન્ફર્મ હતી છતાં પણ તેને હેરફેર કરવામાં આવી હતી અને એ સમસ્યાના સમાધાન માટે મને દોઢ કલાક સુધી કાઉન્ટર પર ઊભોરાખ્યો હતો. મારી સાથે મારી પત્ની, એક આઠ મહિના અને બીજું પાંચ વર્ષનું બાળક પણ હતું.
ઘણા મુસાફરોને થઈ હતી પરેશાની
ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ઈરફાન પઠાણે આગળ લખ્યું હતું કે, 'ગ્રાઉન્ડ સ્ટાફ ઘણા બહાના બનાવી રહ્યા હતા અને તેમનું વર્તન પણ ઘણું ખરાબ હતું. મારા સિવાય ત્યાં બીજા ઘણા મુસાફરો હતા એમને આવી સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. મને સમજમાં એ નથી આવતું કે તેઓએ કેવી રીતે ફ્લાઇટને ઓવરસોલ્ડ કરી અને મેનેજમેન્ટે તેને કેવી રીતે આવી મંજૂરી આપી? હું ઓથોરીટીને વિનંતી કરું છું કે તે આ બાબતે તાત્કાલિક પગલાં લે, જેથી કરીને હવે આગળ બીજા કોઈને મુશ્કેલી ન પડે.'
ઈરફાન પઠાણે આ પોસ્ટના કેપ્શનમાં લખ્યું હતું કે,' હું આશા રાખું છું કે તમે લોકો આ વાત પર ધ્યાન આપશો અને જલ્દી જ કઇંક સુધારો લાવશો.' હાલ એમની આ પોસ્ટ વાયરલ થઈ રહી છે.