ભારતીય રીઝર્વ બેંક RBI ના પૂર્વ ગર્વનર સી રંગરાજને કહ્યું છે કે ભારતને એક વિકાશીલ દેશ બનાવા માટે 22 વર્ષ સતત વિકાસની આવશ્યકતાની જરૂર છે. RBI ના પૂર્વ ગર્વનરને કહ્યું કે વર્તમાન વિકાસ દર પર ભારત 2025 સુધીમાં 5 ટ્રિલયન ડોલરની અર્થવ્યવસ્થા બનવી એ મુશ્કેલ છે. આજે ભારતની અર્થવ્યવસ્થા 2.7 ટ્રિલિયન અમેરિકન ડોલરની છે અને આપણે તેને બેગણી (ડબલ) કરવાની વાત કરી રહ્યાં છે.
પૂર્વ RBI ગર્વનરે PM મોદીના સપનો પર ઉભા કર્યા સવાલ
2025 સુધીમાં 5 ટ્રિલિયન અર્થવ્યવસ્થા મુશ્કેલ
ભારતને વિકાશીલ દેશ બનવા માટે 22 વર્ષ લાગી શકે
2025 સુધીમાં 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવા માટે દેશને 9 ટકાના વાર્ષિક વૃદ્ધિ દરથી આગળ વધવાની જરૂરિયાત છે. આવું કરવું શક્ય નથી.
RBI ના પૂર્વ ગર્વનર સી. રંગરાજને દેશની વર્તમાન આર્થિક સ્થિતિ પર IBS-ICFAI બિઝનેસ સ્કુલ દ્વારા આયોજીત 7માં યસસ્વામી સ્મૃતિ વ્યાખ્યાનમાં જણાવ્યું કે તમે પહેલા બે વર્ષ ગુમાવી દીધા છે. આ વર્ષે 6 ટકાની વૃદ્ધિ થવાની સંભાવના છે અને આવતા વર્ષે આ અંદાજે 7 ટકા રહેશે. ત્યાર બાદ અર્થવ્યવસ્થામાં તેજી આવી શકે છે.
એક આશ્ચર્યજનક વાત એ છે કે તમે જો 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા પહોંચી પણ જાવ છો તો ભારતમાં પ્રતિ વ્યક્તિ આવક જો વર્તમાનમાં 1800 યુએસ ડોલરથી વધીને 3600 યુએસ ડોલર પહોંચી જશે. તેમ છતાં ભારતને નિમ્ન મધ્યમ આવકવાળા દેશ કહેવાશે.