ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ના પૂર્વ ગવર્નર ડી. સુબ્બારાવે કેન્દ્ર સરકાર પર મોટો હુમલો કર્યો છે. પૂર્વ ગવર્નરે કહ્યું છે કે રિઝર્વ બેંકની બેલેન્સ શીટમાં સરકારની દખલ સારી વાત નથી. એમણે કહ્યું કે કેન્દ્રીય બેન્કના અધિશેષ ભંડાર (Surplus)ને હડપવાના પ્રયાસથી સરકારની હતાશા જાણવા મળે છે.
સુબ્બારાવ (Duvvuri Subbarao)એ સાવચેત કરતા કહ્યું કે આરબીઆઇના અધિશેષ ભંડારનું મૂલ્ય નક્કી કરતા સજાગ રહેવાની જરૂર છે. જોકે, વિદેશી બજારોમાં સરકારી બોન્ડ જાહેર કરી ધન મેળવવાના મામલામાં સુબ્બારાવે કહ્યું કે જો 'બજારની ઊંડાઇના માપનને લઇને સરકારી બોન્ડ જાહેર કરવામાં આવે છે તો એમને કોઇ વાંધો નથી. પરંતુ વિદેશી મુદ્રા બજારથી નિયમિત રૂપે ધન મેળવવાને લઇને સાવધાન રહેવાની જરૂર છે.'
સુબ્બારાવ સીએફએ સોસાયટી ઇન્ડિયાના એક કાર્યક્રમમાં બોલી રહ્યા હતા. સુબ્બારાવે કહ્યું કે જો દુનિયામાં ક્યાંય પણ એક સરકાર ત્યાંની કેન્દ્રીય બેન્કની બેલેન્સ શીટ હડપવા ઇચ્છે છે તો તે ઠીક વાત નથી. તેથી જાણવા મળે છે કે સરકાર આ ખજાનાને લઇને ઘણી વ્યગ્ર છે.
આરબીઆઇ (RBI)ના પૂર્વ ગવર્નરની ટિપ્પણી એવા સમયે આવી છે. જ્યારે કહેવામાં આવી રહ્યું છે કે બિમલ જાલાન સમિતિ પોતાની રિપોર્ટ તૈયાર કરવાના અંતિમ ચરણમાં છે. સમિતિ રિઝર્વ બેન્કની પર્યાપ્ત મુડીની ઓળખ કરવા તથા વધારાની મુડી સરકારને હસ્તાતંરણ કરવાની પ્રક્રિયા વિશે રિપોર્ટ તૈયાર કરી રહી છે.
રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર ઉર્જિત પટેલના રાજીનામા અંગે કેન્દ્રીય બેન્કના સરપ્લસને લઇને સરકાર અને રિઝર્વ બેન્ક વચ્ચે ખેંચતાણને મુખ્ય કારણોમાંથી એક માનવામાં આવે છે. સુબ્બારાવે કહ્યું કે આંતરરાષ્ટ્રીય રોકાણકાર સરકાર અને કેન્દ્રીય બેન્ક બંનેની બેલેન્સ શીટ ધ્યાને લેતા હોય છે. સંકટના સમયે ઋણ આપવા માટે આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષ (IMF) પણ આ રીતને અપનાવે છે.