RAW ના પૂર્વ એજન્ટ અને પૂર્વ IPS અધિકારી કુલદીપ શર્માએ કહ્યું પહેલા પેડલરની રેકી કરો અને બાદમાં ત્રાટકો તો મોટી માછલી મળશે
ગુજરાતમાં ડ્રગ્સના દૂષણ મુદ્દે મહત્વનું નિવેદન
પૂર્વ IPS કુલદીપ શર્માએ મહત્વના મુદ્દા કહ્યા
સરહદી સુરક્ષા વધારવાની જરૂરિયાત
પહેલા દેવભૂમી દ્વારકા અને ત્યાર બાદ મોરબીથી ઝડપાયેલા કરોડોના ડ્રગ્સ રેકેટે સૌ કોઈને ચોંકાવી દીધા છે. સમગ્ર મામલે RAW ના પૂર્વ એજન્ટ અને પૂર્વ IPS અધિકારી કુલદીપ શર્માએ નિવેદન આપતા કહ્યું છે કે દરિયાઈ અને જમીની બંને માર્ગથી ડ્રગ્સ ગુજરાતમાં ઘૂસે છે.
TV, ઘડિયાળ સહિતની વસ્તુઓના માધ્યમથી ડ્રગ્સનું સ્મગલિંગ થતું
પૂર્વ IPS અધિકારી અને રો એંજન્ટ કુલદીપ શર્માએ ચિતા વક્ત કરતાં જણાવ્યું કે ડ્રગ્સનું દુષણ અટકાવવા બોર્ડર સિક્યુરિટી વધારવાની જરૂર છે સાથે દરિયાઈ પેટ્રોલિંગને વધુ સઘન અને ચુસ્ત કરવાની જરૂર છે.તેમણે પોતાના કાર્યકાળને યાદ કરી કહ્યું હતું કે કુલદીપ શર્મા જ્યારે કચ્છ SP હતા ત્યારે પણ ગુજરાતની બોર્ડર પરથી ડ્રગ્સ આવતું હતું. ત્યારે ઊંટ પરથી ડ્રગ્સ ભારતના માર્ગે ઘુસાડવામાં આવતું, બાદમાં TV, ઘડિયાળ સહિતની વસ્તુઓના માધ્યમથી ડ્રગ્સનું સ્મગલિંગ થતું હતું. પણ અત્યારે હવે આરોપીએ કિમિયા બદલી કાઢ્યા છે.
'ભારતમાં માર્કેટમાં ફરનાર પેડલરની રેકી થવી જોઇએ'
વધુમાં તેમણે કહ્યું હતું કે ભારત અને ખાસ કરીને ગુજરાતમાં અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ઈરાન તરફથી ડ્રગ્સ આવે છે, બોર્ડર પોસ્ટ પર પેટ્રોલિંગ અનિવાર્ય કરી દેવું જોઈએ. આવા કામોમાં મોટી ભૂમિકા બાતમીદારો હોય છે જે અંગે પણ ખાસ નેટવર્ક તૈયાર કરવું જોઈએ તેમજ ડ્રગ્સની મુખ્ય 3 ચેનલ વિશે વાત કરતાં કહ્યું હતું કે ડ્રગનું ઉત્પાદન કરનાર, ટ્રાફિકિંગ કરનાર અને પછી માર્કેટમાં લાવનાર આમ ત્રણ લોકોની ચેનલ હોય છે. જેને તોડવા માર્કેટમાં ફરનાર પેડલર ની રેકી થવી જોઇએ અને બાદમાં પ્રોપર મોડેસ ઓપરેન્ડી જાણી ખાસ ડ્રાઈવ થવી જોઈએ.
સ્વામિનારાયણ સંપ્રદાયના SP સ્વામીનું મોટું નિવેદન
રાજ્યમાં ડ્રગ્સના દુષણ સામે સાધુ સંતોએ ચિંતા વ્યક્ત કરી છે. રાજ્ય સરકારે ડ્રગ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. સ્પષ્ટ રીતે તીર્થ સ્થાનોની ભૂમિ પર નોનવેજની લારીઓનો વિરોધ કરી રહ્યા છે. સરકાર નું કાર્ય અભિનંદનને પાત્ર છે. તાત્કાલિક ધોરણે દરેક ધર્મસ્થાનોની તપાસ કરવામાં આવે. મહાન તીર્થસ્થાનો પર હજુ અખાદ્ય વસ્તુઓ વેચાય છે. તીર્થભૂમિ પર ડ્રગ્સ મળે તે કલંક છે. તેમને CM ભુપેન્દ્ર પટેલ સામે માંગ કરી છે. તાત્કાલિક ધોરણે તપાસ કરી ડ્રગ્સના દુષણ સામે રાજ્ય સરકાર કાર્યવાહી કરે. કમિટી બનાવી અને તપાસ તેજ કરવા માંગ કરી છે
600 કરોડના ડ્રગ્સ મામલે આરોપીઓના 12 દિવસના રિમાન્ડ મંજૂર
મોરબીના ઝીંઝુડા ગામે હેરોઈન ઝડપાવાના મામલે ઝડપાયેલા 3 આરોપીઓના 12 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. આ ત્રણેય આરોપીઓ 118 કિલો હેરોઇન સાથે ઝડપાયા હતાં. ATSની ટીમે કોર્ટમાં 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી. જેમને સ્પેશ્યલ કોર્ટમાં ઝડપાયેલા આરોપીઓને રજૂ કરાયા હતાં. દેવભૂમિ દ્વારકા પોલીસે મુંબઈના શખ્સને ડ્રગ્સ સાથે ઝડપી લીધા બાદ સલાયામાંથી મોટાપ્રમાણમાં ડ્રગ્સ પકડાયું હતું અને સલાયા ઉતરેલા ડ્રગ્સનો મોટો જથ્થો મોરબી જિલ્લાના ઝીંઝુડા ગામે ઉતર્યો હોવાની આરોપીઓની કબૂલાત કરી હતી. ત્યારબાદ ATS દ્વારા મોરબી SOGને સાથે રાખી ઝીંઝુડા ગામેથી રૂપિયા 600 કરોડનું ડ્રગ્સ ઝડપવામાં આવ્યું છે.