પહેલાથી જ સ્વાસ્થ્ય સમસ્યાનો સામનો કરી રહેલા પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાજ શરીફને એટેક આવ્યો છે. નવાજ શરીફ પહેલાથી જ લાહોરના સર્વિસેજ હોસ્પિટલમાં ભરતી છે. હોસ્પિટલમાં તેમને હૃદયરોગનો હુમલો આવ્યો. એટેક આવ્યા બાદ ડૉક્ટરોએ વિશેષ સુવિધાઓ વધારી દીધી છે.
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાજ શરીફને એટેક આવ્યો
નવાજ શરીફ પહેલાથી જ લાહોરના સર્વિસેજ હોસ્પિટલમાં ભરતી છે
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાજ શરીફની સ્થિતિ નાજુક
ડૉક્ટરોનું કહેવું છે કે હૃદયરોગનો આ હુમલો સામાન્ય છે. ડૉક્ટરોએ નવાજ શરીફના ઇસીજી, કાર્ડિયોગ્રાફી ટેસ્ટ કરાવ્યા છે. તેની રિપોર્ટ આવ્યા બાદ બીમારી વિશે યોગ્ય રીતે જાણી શકાશે. નોંધનીય છે કે ભ્રષ્ટાચાર કેસમાં સજા કાપી રહેલા નવાજ શરીફ પહેલાથી જ ગંભીર રૂપે બીમાર હતા. તેમનુ બ્લડ પ્લેટલેટ કાઉન્ટ ઘટીને 12 હજાર પર પહોંચી ગયું હતું.
નવાજ શરીફના ડોક્ટર અદનાન ખાને કહ્યું છે કે નવાજ શરીફના સ્વાસ્થ્ય અને તેમની ટીમ પર ડોક્ટરોની સતત નજર છે. એમણે કહ્યું કે નવાજ શરીફની સ્થિતિ નાજુક છે અને બીમારીઓને કારણે તેમની સ્થિત નાજુક છે.
એક દિવસ પહેલા લાહોર હાઇકોર્ટે ચૌધરી શુગર મિલ ભ્રષ્ટાચાર મામલામાં પૂર્વ વડાપ્રધાન નવાજ શરીફને મેડિકલ આધાર પર જામીન આપ્યા. નવાજ શરીફ હાલ રાષ્ટ્રીય જવાબદેહી બ્યૂરો (NAB) ની ધરપકડની સાથે લાહોરના સર્વિસેજ હોસ્પિટલમાં ભરતી છે.