દેશમાં કોરોનાએ ખૂબ ઊંડા મૂળિયા જમાવી દીધા છે. દૈનિક કેસોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે ત્યારે રાજનેતાઓ પણ તેની ઝપેટે ચડી રહ્યાં છે. સોમવારે મનમોહન સિંહને તાવ હોવાથી તેમનો કોવિડ ટેસ્ટ કરાયો હતો જેમાં તેઓ પોઝિટીવ નીકળ્યાં હતા. સાંજના 5 ની આસપાસ મનમોહન સિંહેને એમ્સમાં દાખલ કરાયા હતા.
એમ્સના ડોક્ટરોએ જણાવ્યું કે મનમોહન સિંહને કોરોનાના હળવા લક્ષણો જોવા મળ્યાં છે જોકે તેમની તબિયત સ્થિર છે.
Dear Dr. Manmohan Singh Ji,
Wishing you a speedy recovery.
India needs your guidance and advice in this difficult time.
રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને મનમોહન સિંહના ઝડપી સાજા થવાની શુભકામના પાઠવી હતી. રાહુલે ટ્વિટ કરીને જણાવ્યું કે આ મુશ્કેલ ઘડીમાં દેશને તમારા માર્ગદર્શન અને સલાહની જરુર છે.
એક્ટિવ કેસ 19 લાખને પાર
સંક્રમણના મામલામાં સતત 39 માં દિવસે વૃદ્ધિ થઈ છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 19 લાખને પાર થઈ ગઈ છે. હાલમાં કુલ એક્ટિવ દર્દીની સંખ્યા 19,23,877 છે. જે કુવ એક્ટિવ કેસની સંખ્યાના 12.76 ટકા છે.
पूर्व प्रधानमंत्री डॉ मनमोहन सिंह जी की अच्छी सेहत और जल्द स्वस्थ होने की ईश्वर से कामना करता हूँ। https://t.co/yvy6EByJ51
કોરોનાથી સાજા થનારાનો દર ઘટીને 86 ટકા રહી ગયો છે. આંકડા મુજબ આ બિમારીથી સ્વસ્થ થનારા લોકોની સંખ્યા વધીને 1,29,48,848 થઈ છે. અને મૃત્યુ દર ઘટીને 1.20 ટકા થયો છે.
82 ટકા મોત ફક્ત આ 8 રાજ્યોમાં
દેશમાં 24 કલાકમાં સૌથી વધુ 503 લોકોના મોત મહારાષ્ટ્રમાં થયા છે. આ બાદ દિલ્હીમાં 161, છત્તીસગઠમાં 170, યુપીમાં 127, ગુજરાતમાં 110, કર્ણાટકામાં 81,પંજાબમાં 68 અને મધ્ય પ્રદેશમાં 66 લોકોના મોત થયા છે. આ 8 રાજ્યોમાં કુલ 1286 મોત થયા છે. જે 1570 મોતના 81.9 ટકા છે.