પૂર્વ પીએમ મનમોહન સિંઘ અત્યારે હોસ્પિટલમાં દાખલ છે અને લોકો તેમના માટે પ્રાર્થના કરી રહ્યા છે ત્યારે તેમના સ્વાસ્થ્યને લઈને મોટા અપડેટ આવ્યા છે.
પૂર્વ પ્રધાનમંત્રી સિંઘ હોસ્પિટલમાં દાખલ
ધીમે ધીમે સ્વાસ્થ્યમાં આવી રહ્યો છે સુધાર
નેતાઓ અને ચાહકોએ સ્વાસ્થ્ય માટે પ્રાર્થનાઓ કરી
પૂર્વ પીએમ સિંઘના હેલ્થને લઈને અપડેટ
પૂર્વ પ્રધાનમંત્રી ડૉક્ટર મનમોહન સિંઘ અત્યારે પણ દિલ્હીના AIIMS હોસ્પિટલમાં દાખલ છે. બુધવારે અચાનક તબિયત ખરાબ થઇ જતાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા. એમ્સ દિલ્હી દ્વારા હવે તેમના હેલ્થને લઈને અપડેટ આપવામાં આવ્યા છે કે મનમોહન સિંહની તબિયત હવે સ્થિર છે અને તેમાં સુધારો થઈ રહ્યો છે.
Former Prime Minister Dr Manmohan Singh who is admitted at AIIMS Delhi is stable and recovering: AIIMS official
ગઇકાલે નેતાઓ પહોંચ્યા હતા
નોંધનીય છે કે ગઈકાલે જ કેન્દ્રી સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા હોસ્પિટલ પહોંચ્યા હતા અને ખબર અંતર પૂછ્યા હતા. તેના થોડા સમય બાદ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પણ ત્યાં પહોંચ્યા અને મનમોહન સિંહની તબિયત જાણી હતી. આ સાથે જ સોશ્યલ મીડિયામાં પણ ઘણા બધા લોકો મનમોહનનાં સિંહને જલ્દીથી સ્વાસ્થ્ય લાભ થાય તે માટે પ્રાર્થના કરી રહ્યા છે.
ડોકટરોની ટીમ કરી રહી છે સારવાર
ડૉ . નીતિશ નાયકનાં માર્ગદર્શનમાં એક ડોકટરોની એક ટીમ તેમની સારવાર કરી રહી છે. નોંધનીય છે કે આ વર્ષે જ એપ્રિલ મહિનામાં કોરોના વાયરસની બીજી લહેર દરમિયાન તેઓ કોરોના પોઝિટિવ થયા હતા અને એમ્સમાં જ તેમને દાખલ કરવામાં આવ્યા હતા.
વર્ષ 2009માં દિલ્હી એમ્સ હોસ્પિટલમાં જ મનમોહન સિંઘની કોરોનરી બાયપાસ સર્જરી કરવામાં આવી હતી, જે બાદ તેઓ ચેક અપ માટે નિયમિત રૂપે ત્યાં જતાં હોય છે. નોંધનીય છે કે મનમોહન સિંઘ UPA સરકારમાં સતત 10 વર્ષ સુધી દેશના વડાપ્રધાન રહ્યા હતા.