છેલ્લા કેટલાક સમયથી દિલ્હીની આર્મી હોસ્પિટલમાં ફેફસાની સારવાર લઇ રહેલા દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી નિધન થયું છે. નોંધનીય છે કે, તેઓ ફેફસાનું ઓપરેશન કરાવ્યા બાદ તેઓ કોમામાં હતા અને તેમનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. તેઓ પ્રણવદાના હુલામણા નામે જાણીતા હતા. તેમના નિધન અંગેના સમાચાર તેમના દીકરાએ ટ્વીટ દ્વારા આપ્યા હતા.
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું દેહાવસાન
દીકરા અભિજીત મુખર્જીએ ટ્વીટ કરી આપી જાણકારી
દેશના 13માં રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે પ્રણવદા
આપને જણાવી દઇએ કે, પૂર્વ રાષ્ટ્રપતિપ્રણવ મુખર્જી દિલ્હીમાં આર્મી હોસ્પિટલમાં દાખલ હતા અને આજે સવારે જ આર્મી હોસ્પિટલ દ્વારા બહાર પાડવામાં આવેલ હેલ્થ બુલેટિનમાં જણાવાયું હતું કે, તેમના ફેફસામાં ઇન્ફેકશનના કારણે સેપ્ટિક શૉક છે. પ્રણવ મુખર્જીનો ઇલાજ સતત વેંટિલેટર પર કરવામાં આવી રહ્યો છે. તેઓ ગહન કોમામાં છે. ત્યારે અંતે હવે તેમનું નિધન થયું છે. તેમના નિધન અંગેની જાણકારી તેમના દીકરા અભિજીત મુખર્જીએ ટ્વીટ કરીને આપી હતી.
પુત્ર અભિજીત મુખર્જીએ આપી માહિતી
Former President Pranab Mukherjee passes away, announces his son Abhijit Mukherjee. pic.twitter.com/3SFxmRE21j
India grieves the passing away of Bharat Ratna Shri Pranab Mukherjee. He has left an indelible mark on the development trajectory of our nation. A scholar par excellence, a towering statesman, he was admired across the political spectrum and by all sections of society. pic.twitter.com/gz6rwQbxi6
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરીને અર્પી શ્રદ્ધાંજલિ
Deeply anguished on the passing away of former President of India, Bharat Ratna Shri Pranab Mukherjee ji. He was a vastly experienced leader who served the nation with utmost devotion. Pranab da’s distinguished career is a matter of great pride for the entire country.
ઉલ્લેખનીય છે કે,કોંગ્રેસના વરિષ્ઠ નેતા એવા પ્રણવદાનો જન્મ 11 ડિસેમ્બર 1935ના રોજ પશ્ચિમ બંગાળ ખાતે થયો હતો અને તેઓ દેશના 13માં રાષ્ટ્રપતિ હતા. રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી નોંધાવ્યા પછી તેમણે તમામ રાજકીય પદો પરથી રાજીનામુ આપ્યું અને 2012ની રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં કોંગ્રેસ અને યુ.પી.એ. તથા સાથી પક્ષોનાં ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા તથા 22 જૂલાઈ, 2012ના રોજ રાષ્ટ્રપતિ પદે ચૂંટાઈ આવ્યા હતા.
1969થી શરુ થઇ હતી રાજકીય કારકિર્દી
તેઓની રાજકીય કારકિર્દી હતી જ્યાં તેમની ક્ષમતાઓ પારખીને ઇન્દિરા ગાંધીએ તેમને કોંગ્રેસમાં જોડ્યા હતા. તેઓ જુલાઈ 1969માં રાજ્યસભાના સભ્ય બન્યા હતા. ત્યાર પછી તેઓ 1975, 1981, 1993 અને 1999માં પણ ચુંટાયા હતા.
ભારતના રત્નથી થયાં હતાં સન્માનિત
મનમોહિન સિંઘની બીજી સરકારમાં શ્રીમાન મુખર્જી ભારતના નાણાં પ્રધાન બન્યા, અગાઉ 1980માં તેઓ આ પદ સંભાળી ચૂક્યા હતા. જુલાઈ 6, 2009 એ તેમણે સરકારનું વાર્ષિક અંદાજપત્ર રજૂ કર્યું હતું. જેમાં તેમણે ઘણા કરમાં સુધારો કરવાની જાહેરાત કરી હતી. આપને જણાવી દઇએ કે,તેમને 2019માં સર્વોચ્ચ પુરસ્કાર ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
10 ઓગસ્ટના રોજ કરાયા હતા દાખલ
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને ગંભીર હાલતમાં 10 ઓગસ્ટના રોજ દિવસે 12.07 વાગે દિલ્હીના કેંટ સ્થિતિ આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. પૂર્વ રાષ્ટ્રપતિની તબીબોએ તપાસ કરતાં માથામાં લોહીના ગઠ્ઠો જામી ગયો હોવાની સામે આવ્યું હતું.
જેને લઇને ઇમર્જન્સીમાં તેમની સર્જરી કરવામાં આવી હતી. સર્જરી બાદ તેમને વેંટિલેટરના સપોર્ટમાં રાખવામાં આવ્યાં હતા. જો કે મેડિકલ તપાસમાં પૂર્વ રાષ્ટ્રપતિપ્રણવ મુખર્જી કોરોના પોઝિટિવ હોવાનું પણ સામે આવ્યું હતું.