ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પણ હવે કોરોનાની ઝપેટમાં આવ્યાં છે. તેમણે આ જાણકારી ટ્વિટર દ્વારા આપી હતી અને પોતાની ટ્વિટમાં લખ્યું છે કે છેલ્લા એક અઠવાડિયામાં, જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે, તેઓને હું અપીલ કરું છું કે તમામ પરીક્ષણો કરવામાં આવે આઈસોલેટ થઈ જાય.
મહત્વનું છે કે તપાસ દરમિયાન ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. પ્રણવ મુખર્જીએ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે. પ્રણવ મુખર્જીએ ટ્વીટ કર્યું હતું કે તેઓ ચૅક-અપ માટે હોસ્પિટલ ગયા હતા, જ્યાં તેમનામાં કોરોનાનાં લક્ષણો દેખાયા હતાં. તેમણે કહ્યું કે તપાસ દરમિયાન મને કોરોના વાયરસ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.
On a visit to the hospital for a separate procedure, I have tested positive for COVID19 today.
I request the people who came in contact with me in the last week, to please self isolate and get tested for COVID-19. #CitizenMukherjee
પ્રણવ મુખર્જીએ પોતાની ટ્વિટમાં લખ્યું છે કે મેં છેલ્લા એક અઠવાડિયામાં મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને અપીલ કરી છે કે તેઓ તમામ લોકો ટેસ્ટ કરાવી લે અને આઈસોલેટ થઈ જાય.
ઉલ્લેખનીય છે કે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પહેલા ગૃહમંત્રી અમિત શાહ, મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણ, કેન્દ્રીય મંત્રી મેઘવાલ અને કર્ણાટકના મુખ્ય પ્રધાન બી.એસ. યેદિયુરપ્પા જેવા મોટા નેતાઓ પણ કોરોના વાયરસની ઝપેટમાં આવી ચૂક્યાં છે.