દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના દિલ્હીના લોધી રોડ પર આપેલ સ્માનશ ગૃહમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની અંતિમ યાત્રામાં સામેલ વધુ લોકોએ પીપીઇ કીટ પહેરી પહોંચ્યા હતા.
મુખ્ય વાત એ હતી કે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી કોરોના પોઝિટિવ હતા, જેના કારણે તેમના અંતિમ સંસ્કારમાં ઓછા લોકો સામેલ થયા હતા. જેમાં બધા લોકો પીપીઇ કિટમાં નજરે પડ્યા હતા. દિકરા અભિજીત મુખર્જીએ પિતા પ્રણવ મુખર્જીને મુખાગ્નિ આપી. પ્રણવ દાનો અંતિમ સંસ્કાર રાજકીય સન્માનની સાથે કરવામાં આવ્યો.
આ અગાઉ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનો મૃતદેહ તેમના 10, રાજાજી માર્ગ સ્થિત આવસ પર અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. જ્યાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ત્રણેય સેનાના પ્રમુખ સહિત દિગ્ગજ વ્યક્તિઓએ પૂર્વા રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને શ્રદ્ધાંજલિ આપી હતી.
આ અગાઉ મોદી કેબિનેટની બેઠકમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ દરમિયાન કેબિનેટના બધા સભ્યોએ બે મિનીટનું મૌન રાખ્યું હતું.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રમુખ મોહન ભાગવતે પ્રણવ મુખર્જીના જવાથી એક ખાલીપન આવી ગયુ છે. તેઓ ઉદાર અને દયાળુ હતા, તેઓ વાતચીત દરમિયાન એવી જાહેર થવા દેતા નહોતા કે હું ભારતના રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરી રહ્યો છું.
અમિત શાહે પ્રણવ દાને કર્યાં યાદ
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને શ્રદ્ધાંજલિ આપી. અમિત શાહે કહ્યું કે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ દાયકાઓથી રાષ્ટ્રને મજબૂત બનાવવા માટે અથાગ પ્રયત્ન કર્યો. સરકારમાં હોય કે વિપક્ષમાં, તેમણે બધાને સાથે રાખ્યાં.