નવી દિલ્હીઃ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીએ RSSના કાર્યક્રમનું આમંત્રણ સ્વીકારતા રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ નેતા સંદીપ દિક્ષીતે કહ્યું કે પ્રણબ મુખર્જી સાંપ્રદાયિકતા અને હિંસાને લઈને RSSની ભૂમિકા પર પહેલા જ સવાલ ઉઠાવી ચૂક્યા છે.
RSSને એ વાતો યાદ હશે કે પ્રણબ મુખર્જીએ કહ્યું હતું કે RSS જેવી રાષ્ટ્રવિરોધી કોઈ સંસ્તા નથી. અને તેને દેશમાં સ્થાન ન હોવું જોઈએ.
સંદીપ દિક્ષીતે કહ્યું કે એવા વ્યક્તિ જે RSSને સાંપથી પણ ઝેરી માનતા હતા. તેમને કાર્યક્રમમાં આમંત્રણ અપાયું છે તો શું પ્રણબ મુખર્જીએ પોતાની વિચારધારા બદલી નાખી છે કે પછી RSSમાં કોઈ સ્વાભિમાન નથી રહ્યું.
મહત્વનું છે કે કોંગ્રેસ સાથે લાંબો સમય સુધી જોડાયેલા રહેલા પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીએ 7 જૂને નાગપુરમાં સંઘના ભાવિ પ્રચારકોની સામે રાષ્ટ્રવાદ પર વ્યાખ્યાન આપવાનું આમંત્રણ સ્વીકાર્યું છે.