ગાંધીનગરઃ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી અમદાવાદના મહેમાન બન્યા હતા. તેઓ આજે અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમમાં હાજરી આપી હતી. બપોરે IIMમાં ફ્યુચર ટ્રાન્સફોર્મેશન ઈન્ડીયા વિષય પર સંબોધન કર્યું હતું. તો સાંજે ગાંધીનગરમાં NIFના કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં દેશભરના સર્જનાત્મક બાળકોને A.P.J અબ્દુલ કલામ ઇગ્નાઇટ પુરસ્કારથી સન્માન કર્યા હતા.
આઇઆઇએમ અમદાવાદ ખાતે યોજાયેલા આર્ટિક્યુલેટિંગ પોલિસી એન્ડ ઇન્સ્ટીટ્યુશનલ એજન્ડા ફોર ફ્યુચર ટ્રાન્સફોર્મેશન ઓફ ઇન્ડીયા વિષય પર શિક્ષણ મહીલાઓ પાર્લામેન્ટ સહીતના વિવિધ મુદ્દે સંબોધન કર્યું હતું.
આ પ્રવચનમાં પ્રણવ મુખર્જીએ કહ્યું કે સંસદનુ કામ ડિબેટ ડિસ્કશન અને નિર્ણય લેવાનુ છે. પરંતુ હવે સંસદને ચાલવા દેવામાં આવતી નથી અને તેને કારણે મહત્વપુર્ણ કાર્યો અટકી પડે છે. જે નાગરિકો સાથે વિશ્વાસઘાત સમાન છે. ભારતની બ્યુરોક્રસી વિકાસમાં રોડા નાખી રહી છે કારણ કે બ્યુરોક્રેટ્સ જુની સિસ્ટમ પ્રમાણે કાર્ય કરી રહ્યા છે.
શિક્ષણ મુદ્દે પણ તેઓએ ટકોર કરતા જણાવ્યુ હતુ કે આઇઆઇટી એનઆઇટી જેવી સંસ્થાઓ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપીને 100 ટકા પ્લેસમેન્ટ અપાવી રહી છે. પરંતુ આ પૈકી કેટલા વિદ્યાર્થીઓએ રિસર્ચ અને ઇનવેશન કર્યુ તે એક પ્રશ્ન છે.
ગાંધીનગરઃ NIFના કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહ્યા
તેમણે જણાવ્યુ હતું કે સંશોધન પર બાળકોનો વિચારોથી ખુશ થયો છું. ભારતમા IGNAITના આઈડિયા સફળ થઈ રહ્યો છે. સંશોધનથી દરેક સમાજને મદદ મળે છે. બાળકોમા રહેલા આત્મવિશ્વાસનું મહત્વ છે. રાષ્ટ્રપતિના કાર્યકાળ દરમિયાન સંશોધનની પ્રેક્ટિસ શરૂ કરી હતી. બાળકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવુ જરૂરી છે. શાળામાં શિક્ષકોના વ્યવહારથી બાળકો પ્રશ્ન પુછી શકતા નથી.