હું મારા ગુરુ અટલ બિહારી વાજપેયીજીને તેમની પુણ્યતિથિ પર નમન કરું છુ: નરેન્દ્ર મોદી
દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની આજે પુણ્યતિથિ છે. અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ પર અનેક રાજકીય દિગ્ગજોએ શ્રધ્ધાંજલી પાઠવી છે. આ દરમ્યાન ભારતીય જનતા પાર્ટીએ ટ્વિટ કરીને લખ્યું, ભારતીય જનતા પાર્ટીના જનક પુરુષ, કરોડો કાર્યકર્તાઓના માર્ગદર્શક અને આપણા પ્રેરણાસ્ત્રોત, પૂર્વ પ્રધાનમંત્રી, ભારત રત્ન પૂજ્ય અટલ બિહારી વાજપેયીજીને હાર્દિક શ્રદ્ધાંજલિ. આ સાથે આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પણ પૂર્વ વડાપ્રધાનને શ્રદ્ધાંજલિ આપી હતી.
અટલ બિહારી વાજપેયીની આજે પુણ્યતિથિ
આજે અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ નિમિત્તે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પણ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ પર તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.
President Murmu, PM Modi pay floral tribute to Atal Bihari Vajpayee on his death anniversary
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, "હું મારા ગુરુ, પ્રતિષ્ઠિત નેતા, કવિ, દાર્શનિક, મંત્રમુગ્ધ વક્તા અજાતશત્રુ, ભૂતપૂર્વ પ્રધાનમંત્રી 'ભારતરત્ન' અટલ બિહારી વાજપેયીજીને તેમની પુણ્યતિથિ પર નમન કરું છું. હું મારા સમયના સૌથી મોટા નેતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.
લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ શું કહ્યું ?
આ દરમ્યાન લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે, "યુગ-પુરુષ" ભારત રત્નથી સન્માનિત ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજીની પુણ્યતિથિ પર ભાવુક શ્રદ્ધાંજલિ. તેમની પાસેથી પ્રેરણા લઈને, અમે હંમેશા અતૂટ ઈરાદાઓ અને મજબૂત સંકલ્પ સાથે નવા ભારતના નિર્માણ માટે પોતાને સમર્પિત કરીએ છીએ.
"युग-पुरुष" भारत रत्न से विभूषित पूर्व प्रधानमंत्री परम श्रद्धेय श्री अटल बिहारी वाजपेयी जी की पुण्यतिथि पर भावपूर्ण आदरांजलि। उनसे प्रेरणा प्राप्त करते हुए हम सदैव अटल इरादों और मजबूत संकल्पशक्ति से स्वयं को नए भारत के निर्माण के लिए समर्पित करते हैं।#AtalBihariVajpayeepic.twitter.com/6GlUdTFKse
હું મારા માર્ગદર્શક, પ્રતિષ્ઠિત નેતા, કવિ, દાર્શનિક, મંત્રમુગ્ધ વક્તા, લાખો લોકો દ્વારા આરાધિત એવા અજાતશત્રુ, પૂર્વ વડાપ્રધાન, ‘ભારત રત્ન’, #અટલબિહારી વાજપેયીજીની આજે પુણ્યતિથિ પર તેમની યાદમાં મારૂ મસ્તક નમન કરું છું. હું અમારા સમયના સૌથી ઊંચા નેતાને મારી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.
I bow my head in reverence to the memory of my mentor, iconic leader, poet, philosopher, mesmerising orator,ajatashatru adored by millions, former PrimeMinister,‘Bharat Ratna’,#AtalBihariVajpayee Ji on his Punyatithi today. I offer my tributes to the tallest leader of our times. pic.twitter.com/rGQpzf9Khj