કથિત ખતરાને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓને શહેરના "બની ગાલા"ની આસપાસના વિસ્તારોમાં હાઇ એલર્ટ પર મૂકવામાં આવી હતી
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની જાસૂસી
ઈમરાનના ખાનગી નિવાસ 'બની ગાલા'ની ઘટના
બેડરૂમમાં જાસૂસ SPY કેમેરા લગાવતા રંગેહાથે ઝડપાયો
પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના પ્રમુખ ઈમરાન ખાનની હત્યાના કાવતરાની અફવાઓ વચ્ચે હવે જાસૂસીની એક ઘટના સામે આવી છે. જોકે કથિત ખતરાને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓને શહેરના "બની ગાલા"ની આસપાસના વિસ્તારોમાં હાઇ એલર્ટ પર મૂકવામાં આવી હતી. ઈમરાનના ખાનગી નિવાસ 'બની ગાલા'નો એક કર્મચારી તેની જાસૂસી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. કર્મચારી ઈમરાનના બેડરૂમમાં ગુપ્ત કેમેરા લગાવી રહ્યો હતો. જોકે હાલ પૂર્વ પીએમના રક્ષણમાં તૈનાત કર્મચારીઓએ આરોપી કર્મચારીને કસ્ટડીમાં લીધો છે.
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની જાસૂસી
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની હત્યાની અફવાઓ વચ્ચે વધુ એક ખુલાસો થયો છે. ઈમરાનના ખાનગી નિવાસ 'બની ગાલા'નો એક કર્મચારી તેની જાસૂસી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. કર્મચારી ઈમરાનના બેડરૂમમાં ગુપ્ત કેમેરા લગાવી રહ્યો હતો. હાલ પૂર્વ પીએમના રક્ષણમાં તૈનાત કર્મચારીઓએ આરોપી કર્મચારીને કસ્ટડીમાં લીધો છે. તેની પૂછપરછ કરીને માહિતી એકઠી કરવામાં આવી રહી છે કે તે કોના ઈશારે ગુપ્ત કેમેરા લગાવતો હતો.
અન્ય કર્મચારી જોઈ જતા ભાંડો ફૂટ્યો
પાકિસ્તાનના સ્થાનિક મીડિયાએ જણાવ્યું કે, બાની ગાલાના એક કર્મચારીની પૂર્વ વડાપ્રધાનના બેડરૂમમાં ઈન્ટેલિજન્સ કેમેરા લગાવવાનો પ્રયાસ કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. કહેવામાં આવ્યું હતું કે ઈન્ટેલિજન્સ કેમેરા લગાવતી વખતે અન્ય કર્મચારીએ તેને જોયો હતો, ત્યારબાદ તેણે સુરક્ષા ટીમને જાણ કરી હતી.
પીટીઆઈના નેતા શાહબાઝ ગિલે શુ કહ્યું ?
પીટીઆઈના નેતા શાહબાઝ ગિલે કહ્યું કે આ સંબંધમાં અમે સરકાર સહિત તમામ સંબંધિત એજન્સીઓને જાણ કરી દીધી છે. મીડિયા સાથે વાત કરતા શાહબાઝ ગિલે દાવો કર્યો હતો કે, જે કર્મચારીને ઈન્ટેલિજન્સ કેમેરા લગાવતા પકડવામાં આવ્યો છે તે ઈમરાન ખાનના બેડરૂમની સફાઈ કરે છે. તેમણે કહ્યું કે અમારા ઘણા લોકોને ઈમરાન ખાન વિશે માહિતી મેળવવાની ધમકી આપવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે આવા શરમજનક પ્રયાસથી બચવું જોઈએ. પીટીઆઈ નેતાએ કહ્યું કે ધરપકડ કરાયેલ કર્મચારીએ ઘણા ખુલાસા કર્યા છે.
નોંધનિય છે કે, ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહે અગાઉ 23 જૂને ઈમરાન ખાનને જાનથી મારી નાખવાની ધમકીના દાવાને ફગાવી દીધા હતા. મીડિયા સાથેની વાતચીતમાં મંત્રી સનાઉલ્લાહે કહ્યું કે, જ્યારે ઈમરાન ખાન વડાપ્રધાન હતા અને તે સમયે તેમને જે સુરક્ષા મળી હતી તે જ સુરક્ષા આજે પણ તેમને આપવામાં આવી રહી છે.