મનમોહન સિંહે જવાહરલાલ નેહરૂના ભાષણ પર આધારિત એક પુસ્તકના લોકોર્પણ પ્રસંગે પોતાના સંબોધનમાં કહ્યું કે જો ભારતની રાષ્ટ્રોના સમૂહમાં ઉજ્વળ લોકતંત્રના રૂપે ઓળખ છે, જો તેને મહત્વપૂર્ણ વૈશ્વિક શક્તિઓમાં એક સમજવામાં આવે છે તો પ્રથમ વડાપ્રધાન જ હતા જેમને તેના મુખ્ય શિલ્પી હોવાનો શ્રેય આપવામાં આવવો જોઇએ.
મનમોહન સિંહે નેહરૂના ભાષણ પર આધારિત એક પુસ્તકના લોકોર્પણ પ્રસંગે બીજેપી પર કર્યો હુમલો
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે શનિવારે કહ્યું કે 'ભારત માતા કી જય' નારાનો દૂરપયોગ કરવામાં આવ્યો
મનમોહન સિંહે કહ્યું, નેહરૂને ભારતના મુખ્ય શિલ્પી હોવાનો શ્રેય આપવામાં આવવો જોઇએ
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે કહ્યું કે નેહરૂએ અશાંત અને વિષમ સ્થિતિઓમાં ભારતનું નેતૃત્વ કર્યું જ્યારે દેશે જીવનના લોકશાહી પ્રણાલીને અપનાવી હતી જેમા વિભિન્ન સામાજિક અને રાજકીય વિચારોનું સમાયોજન કરવામાં આવ્યું હતું. તેઓએ કહ્યું કે ભારતની ધરોહર પર ગર્વ અનુભવનારા દેશના પ્રથમ વડાપ્રધાને તેઓને આત્મસાત કર્યું અને નવા આધુનિક ભારતની જરૂરિયાતોની સાથે તેનું સમાયોજન બેસાડ્યું.
પૂર્વ વડાપ્રધાને કહ્યું, એક અનોખી શૈલી વાળા અને બહુભાષી નેહરૂએ આધુનિક ભારતના વિશ્વવિદ્યાલયો, એકેડમીઓ, સાંસ્કૃત્તિક સંસ્થાઓનો પાયો નાંખ્યો. પરંતુ નેહરૂના નેતૃત્વ હેઠળ આધુનિક ભારત એવુ ન બની શક્યું જેવુ આજે છે.
તેઓએ કહ્યું, દુર્ભાગ્યપૂર્ણ છે કે એક એવો વર્ગ છે જેમા ઇતિહાસ વાંચવાનો ધૈર્ય નથી અથવા તો જે જાણી જોઇને પોતાના પૂર્વગ્રહોથી સંચાલિત અને દિશાનિર્દેશિત થવા માંગે છે. તેઓ નેહરૂની ખોટી છબિ રજૂ કરીને બને એટલો પ્રયાસ કરે છે. પરંતુ મને વિશ્વાસ છે કે ઇતિહાસમાં નકલી અને જુઠ્ઠા આક્ષેપોને ફગાવવા અને તમામ વસ્તુઓને પરિપ્રેક્ષ્યમાં રાખવાની ક્ષમતા છે.
#WATCH Former Prime Minister & Congress leader Manmohan Singh, in Delhi: Nationalism and the slogan of 'Bharat Mata Ki Jai' are being misused to construct a militant and heavily emotional idea of India that excludes millions of residents and our citizens. pic.twitter.com/YW6XLy6FLZ
પુરુષોત્તમ અગ્રવાલ અને રાધા કૃષ્ણ દ્વારા લિખિત 'હુ ઇઝ ભારત માતા' નામના આ પુસ્તકમાં નેહરૂના ક્લાસિક પુસ્તકો : ઑટોબાયોગ્રાફી, ગ્લિમ્પસેજ ઓફ વર્લ્ડ હિસ્ટ્રી અને ડિસ્કવરી ઓફ ઇન્ડિયા, આઝાદીથી પહેલા અને બાદના તેમના ભાષણ, લેખ, પત્ર તથા કેટલાક ચર્ચાસ્પદ ઇન્ટરવ્યૂ છે.
પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહે કહ્યું, એવા સમયે આ પુસ્તકની ખાસ બાબત છે જ્યારે રાષ્ટ્રવાદ અને ભારત માતા કી જયના નારા ભારતના ઉગ્રવાદી અને વિશુદ્ધ ભાવનાત્મક વિચારના નિર્માણ માટે દૂરપયોગ કરવામાં આવી રહ્યા છે. એક એવો વિચાર જેમા લાખો નાગરિક સામેલ નથી.