પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે દેશની બગડતી અર્થવ્યવસ્થા પર ચિંતા વ્યક્ત કરી છે. એમને કહ્યું કે અર્થવ્યવસ્થાની સ્થિતિ આજે ખૂબ જ ચિંતાજનક છે. જીડીપીનો પાંચ ટકા પર પહોંચી જવો એ વાતનો સંકેત છે આપણે એક લાંબી મંદીની જાળમાં ફસાઇ ચુક્યા છીએ.
પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે પીએમ નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા કહ્યું કે ભારતની અર્થવ્યવસ્થામાં ઝડપથી આગળ વધવાની ક્ષમતા છે, પરંતુ મોદી સરકારના કુપ્રબંધને દેશની અર્થવ્યવસ્થાને મંદીમાં ધકેલી નાંખી છે. મનમોહન સિંહે કહ્યું કે અર્થવ્યવસ્થા અત્યાર સુધી નોટબંધી અને જીએસટી જેવા માનવીય કુપ્રબંધનથી બહાર આવી શકી નથી.
ભારતીય અર્થવ્યવસ્થા હાલ મંદીનો સામનો કરી રહી છે. છેલ્લા ત્રિમાસીકમાં ભારતનો વિકાસ દર 5 ટકા રહ્યો હતો. જે દેખાડે છે કે ભારત મંદીની જાળમાં ફસાઇ ગયું છે. સૌથી હેરાન કરનારી વાત એ છે કે મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો ગ્રોથ માત્ર 0.6 રહ્યો. પૂર્વ પીએમએ કહ્યું કે ઘરેલૂ માંગમાં નિરાશા સ્પષ્ટ નજરે આવી રહી છે અને વપરાશમાં વૃદ્ધિ 18 મહિનાના સૌથી નીચેલા સ્તર પર છે. નૉમિનલ જીડીપી 15 વર્ષના સૌથી નીચા સ્તર પર પહોંચી ગઇ છે. કર આવકમાં ભારે ઘટાડો છે. મનમોહન સિંહે કહ્યું, રોકાણકારોમાં ભારે ઉદાસીનતા છે. આ આર્થિક સુધારાનો પાયો નથી.
Our economy has not recovered from the man made blunders of demonetisation & a hastily implemented GST... I urge the govt to put aside vendetta politics & reach out to all sane voices to steer our economy out of this crisis: Former PM Dr Manmohan Singh #DrSinghOnEconomicCrisispic.twitter.com/83cBJWHay9
નોકરીઓ ના મળતી હોવા પર પણ મનમોહન સિંહે મોદી સરકારનો જોરદાર ઘેરાવો કર્યો. એમને કહ્યું ઑટોમોબાઇલ સેક્ટરમાં 3.5 લાખ નોકરીઓ જતી રહી છે. આ રીતે અસંગઠિત ક્ષેત્રમાં પણ મોટા પાયા પર લોકો નોકરીઓ ગુમાવી રહ્યા છે. એમને કહ્યું કે ગ્રામીણ ભારતની સ્થિતિ વધારે દયાજનક છે. ખેડૂતોને સાચા ભાવ મળી રહ્યા નથી અને ગ્રામીણ આવક ઘટી રહી છે. એમને કહ્યું કે જે ઓછા મોંઘવારી દરને મોદી સરકાર દેખાડી રહી છે, એની કિંમત આપણા ખેડૂતો અને એમની આવક છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે મોદી સરકાર પર આરોપ લગાવ્યા હતા. તેમને કહ્યું હતું કે મોદી સરકારમાં અર્થવ્યવસ્થા બગડી રહી છે, નોકરીઓ નથી. પોતાનું નુકસાન પૂર્ણ કરવા આરબીઆઇ છે. મોદીએ દરેક વાત છોડીને અર્થવ્યવસ્થા પર ધ્યાન આપવું જોઇએ.