પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે કહ્યું છે કે દેશ માટે જરૂરી છે કે ભયની રાજનીતિ આશાની રાજનીતિ પર હાવી ન થવી જોઇએ. રાજસ્થાન વિધાનસભામાં 15મી વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો માટે આયોજિત જાગૃતિ કાર્યક્રમના સમાપન સત્રને સંબોધિત કરતા સિંહે કહ્યું કે ધારાસભ્યોએ લોકોમાં આત્મવિશ્વાસ લાવવો જોઇએ. જેથી એ સુખેથી રહી શકે.
એમણે કહ્યું કે કેટલાક દિવસ પૂર્વ એક જાણિતા શિક્ષણ શાસ્ત્રીએ આ મામલે સૂચિત કર્યું હતું કે ભયની રાજનીતિ આશાઓની રાજનીતિ પર ખતરો બની શકે છે. સિંહે કહ્યું કે ભયની રાજનીતિ આશાઓની રાજનીતિ પર હાવિ ન થાય, એ માટે જનતા ધારાસભ્યો પર નિર્ભર રહે છે અને આ દેશ માટે જરૂરી છે. પૂર્વ વડાપ્રધાને કહ્યું કે જાગૃતિ કાર્યક્રમના માધ્યમથી ધારાસભ્ય રાજ્યના પ્રતિ પોતાના સંસદીય દાયિત્વને યોગ્ય રીતે સમજી શકશે.
મનમોહન સિંહે કહ્યું કે તમામ ધારાસભ્ચનું પ્રથમ કર્તવ્ય છે કે તે પોતાની વિધાનસભા ક્ષેત્રના નિવાસીઓ અને વિધાનસભા વચ્ચે કડી રૂપે કામ કરે. એણે વિધાન ભંડોળની રાશિને સો ટકા ઉપયોગ કરી પોતાના વિધાનસભા ક્ષેત્રમાં આધારભૂત સંરચના, સ્કૂલ, ચિકિત્સાલય નિર્માણ જેવા કાર્ય કરવા જોઇએ. સિંહે ધારાસભ્યોને કહ્યું કે, તમે આ સમસ્યાને સારી રીતે સમજો છો. તેથી જનતામાં આત્મવિશ્વાસ લાવવો આપની પ્રાથમિકતા હોવી જોઇએ જેથી તેમનામાં એ વિશ્વાસ ઉભો થઇ શકે કે આપના કુશળ નેતૃત્વને કારણે એ લોકો સુખેથી જીવી રહ્યા છે.
મનમોહન સિંહે કહ્યું કે તે ભવિષ્યને લઇને પૂર્ણ રીતે આશ્વસ્ત છે. પૂર્વ પીએમ મનમોહન સિંહે કહ્યું કે એક ધારાસભ્યને વિશેષ પણે જ્યારે તે વિપક્ષમાં હોય ત્યારે અન્ય લોકોને સાંભળવાની આદત હોવી જોઇએ. એમને ઘણું દુ:ખ થાય છે કે જ્યારે કેટલાક રાજ્યોની વિધાનસભાઓમાં ધારસભ્યો અભદ્ર વ્ચવહાર કરે છે. આ પ્રકારની ઘટનાઓથી યુવા પીઢીમાં એક ખોટો મેસેજ પહોંચે છે. ગૃહમાં હકીકત અને ગુણવત્તાપૂર્ણ ચર્ચા હોવી જોઇએ. એમણે કહ્યું કે વિશ્વમાં સંસદીય લોકતંત્રના બદલતા પરિદ્દશ્યમાં રાજસ્થાન એક અગ્રણી પ્રદેશના રૂપે ઓળખાય છે.
આ દરમિયાન રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે કહ્યું કે પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહે નાણામંત્રી રહેતા આઝાદી બાદથી પહેલી વાર ઉદારીકરણની શરૂઆત કરી. જેથી દેશના વિકાસની રસ્તો ખુલ્લો. વિકસિત રાષ્ટ્રો પણ જ્યારે મંદીનો સામનો કરી રહ્યા હતા ત્યારે પૂર્વ વડાપ્રધાનની અર્થ નીતિને કારણે ભારત મંદીથી દૂર રહ્યું હતું. વર્ષ 2007માં ભારતની જીડીપી દર 9 ટકા લાવવાનું શ્રેય પણ ડૉ. મનમોહન સિંહને જાય છે.