પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે (Manmohan Singh) શુક્રવારે રાજ્યસભાના સદસ્યના છઠ્ઠી વાર શપથ લીધા. રાજ્યસભાના સભાપતિ એમ વેંકૈયા નાયડૂએ 86 વર્ષીય સિંહને પોતાના કાર્યાલયમાં શપથ અપાવ્યા. શપથ ગ્રહણ દરમિયાન ગૃહના નેતા થાવરચંદ ગહલોત, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હાજર હતા.
આ ઉપરાંત રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદ ઉપરાંત ગૃહમાં કોંગ્રેસના ઉપનેતા આનંદ શર્મા અને પાર્ટીના વરિષ્ઠ નેતા અહમદ પટેલ પણ હાજર હતા. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોત અને ઉપ મુખ્યમંત્રી સચિન પાયલોટ ઉપરાંત ભાજપાના કેટલાક નેતા ઉપસ્થિત હતા.
નાયડૂએ ત્યારબાદ ટ્વિટ કર્યું કે, 'પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ (Manmohan Singh)ને રાજ્યસભામાં પોતાના કક્ષમાં આજે રાજ્યસભાના સભ્ય તરીકે શપથ ગ્રહણ કરાવ્યા.' એમણે શપથ ગ્રહણની તસવીર પણ ટ્વિટ કરી. આ તસવીરોમાં સિંહની પત્ની ગુરશરણ કોર પણ દેખાઇ રહી છે.
Administered oath to Former Prime Minister Dr. Manmohan Singh as Rajya Sabha MP in my Chamber in Rajya Sabha today. pic.twitter.com/RslwhDElNH
મનમોહન સિંહ રાજ્યસભાના સભ્ય ચૂંટાયા છે. એમણે નિર્વિરોધ ચૂંટાયા છે કેમકે ભાજપાએ તેમના વિરુદ્ધ કોઇ ઉમેદવાર ઉભો રાખ્યો નહોતો. તથા ડૉ. મનમોહન સિંહની જીત નિશ્ચિત હતી. ભાજપના રાજ્યસભાના સદસ્ય મદનલાલ સૈનીના નિધન બાદ આ બેઠક ખાલી પડી હતી જેના પર હવે કોંગ્રેસે જીત મેળવી છે.
મનમોહન સિંહનો ઉપલા ગૃહમાં કાર્યકાર્ય આ વર્ષે 14 જૂને સમાપ્ત થઇ ગયો હતો. પૂર્વમાં એમણે રાજ્યસભામાં લગભગ 28 વર્ષ આસામાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. રાજ્યસભા સદસ્યના રૂપે આ તેમનો છઠ્ઠો કાર્યકાળ હશે. આ પહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનમોહન સિંહ 1991, 1995, 2001, 2007, અને 2013માં રાજ્યસભા સભ્ય ચૂંટાયા હતા.