કેન્દ્ર સરકારે જ્યારથી કાશ્મીરમાંથી આર્ટિકલ 370 અને 35A હટાવ્યો છે ત્યારથી સમગ્ર પાકિસ્તાન ગુસ્સામાં છે. જ્યાં એક બાજુ જમ્મુ કાશ્મીરમાં શાંતિ છે. તો પાકિસ્તાન તરફથી દરરોજ કોઇને કોઇ નિવેદન સામે આવી રહ્યું છે. શાહિદ આફ્રીદી બાદ હવે શોએબ અખ્તરે આર્ટિકલ 370 હટાવવા પર પોતાનું નિવેદન આપ્યું છે.
પાકિસ્તાનનો શાનદાર બોલર અને રાવલપિંડી એક્સપ્રેસના નામથી જાણીતો શોએબ અખ્તરે જમ્મુ કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવવા પર વિરોધ કર્યો છે. અખ્તરે એ જ ખોટો દાવો કર્યો જે મોટાભાગે પાકિસ્તાની સરકાર કરતી આવી છે કે કાશ્મીરમાં ભારત સરકાર નાગરિકો પણ અત્યાચાર કરી રહી છે.
અખ્તરે સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો છે, જેમાં એક બાળકીનો ફોટો છે. જેની એક આંખ પર પટ્ટી બાંધેલી છે. એ ફોટા પર લખ્યું છે, તમે ત્યાગને પરિભાષિત કરો છો. અમે તમારી આઝાદી માટે પ્રાર્થના કરીએ છીએ અને આ હેતુ માટે જીવવું શાનદાર છે.
પાકિસ્તાન સરકારે હંમેશા જમ્મુ કાશ્મીરને ભારતમાં સામેલ કરવા માટે આપત્તિ વ્યક્ત કરી છે. આર્ટિકલ 370 હટાવવા પર પાકિસ્તાન ભડક્યું છે. ઇમરાન ખાને સરકારે ભારતની સાથે કૂટનીતિક સંબંધોમાં ઘટાડો કર્યો છે. ભારતીય ઉચ્ચાયુક્ત અજય બિસારિયાને પાકિસ્તાને હાંકી કાંઢ્યા છે.
આ ઉપરાંત ભારત અને પાકિસ્તાનની વચ્ચે સમજૌતા એક્સપ્રેસને પણ રદ કરી દેવામાં આવી છે. આ પગલા બાદ ભારતે દિલ્હીથી અટારીની વચ્ચે ચાલતી લિંક એક્સપ્રેસને રદ કરી દીધી. આ ઉપરાંત બંને દેશોની વચ્ચે દિલ્હી લાહોર સહિત અન્ય બસ સેવાઓને પણ બંધ કરી દેવામાં આવી છે.
પાકિસ્તાન દુનિયાભરના દેશોથી કાશ્મીર મુદ્દા પર ભારત સરકારના નિર્ણય વિરુદ્ધ સમર્થન પ્રાપ્ત કરવા માટે કગરી રહ્યું છે. પરંતુ કેટલાક દેશએ સ્પષ્ટપણે કહી દીધું છે કે જમ્મુ કાશ્મીર પરભારત સરકારનો નિર્ણય એની આંતરિક સમસ્યા છે. પરંતુ તેમ છતાં પાકિસ્તાન ભારત વિરુદ્ધ ઝેર ઓકવાનું બાકી રાખતું નથી.
પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહએ કો એટલે સુધી કહી દીધું કે અલ્લાહની લાઠીમાં અવાજ હોતો નથી. જો ચાલી ગઇ તો નરેન્દ્ર મોદીનું અભિમાનનો નાશ થશે. કુરૈશીએ કહ્યું કે તેઓ કાશ્મીર મુદ્દાને સંયુક્ત રાષ્ટ્રમાં ઊઠાવશે. જો આપણે એકજૂથ ના થયા તો ઇતિહાસ આપણને માફ કરશે નહીં.
Kashmiris must be given their due rights as per #UN resolution. The rights of Freedom like all of us. Why was @UN created & why is it sleeping? The unprovoked aggression & crimes being committed in Kashmir against #Humanity must be noted. The @POTUS must play his role to mediate
નોંધનીય છે કે આ પહેલા આફ્રિદીએ આફ્રિદીએ ટ્વિટર કરીને કહ્યું હતું કે, 'કાશ્મીરીઓને સંયુક્ત રાષ્ટ્ર પ્રસ્તાવ અંતર્ગત તેમના અધિકારો મળવા જોઇએ. જે રીતે આપણા બધા પાસે આઝાદીનો અધિકાર છે એ જ રીતે. UN કેમ બનાવવામાં આવ્યું અને તે ઊઁઘી રહ્યું છે. કાશ્મીરમાં માનવતા વિરુદ્ધ જે ઉશ્કેરણી વિનાના અપરાધ અને દખલગીરિ કરવામાં આવી રહી છે તે જોવું જરૂરી છે. અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખે મધ્યસ્થતા કરવી જોઇએ.'