જૂનાગઢના માણાવદરમાં ભાજપના આગેવાનની હત્યા કરવામાં આવી છે. વંથલી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હિતેષ વડારિયાની હત્યા કરવામાં આવી છે. ત્યારે પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.
જૂનાગઢના માણાવદરમાં ભાજપના આગેવાન હિતેષ વડારિયાની હત્યા કરાઇ છે. માણાવદર રોડ પર હિતેષ વડારિયા પર છરી વડે હુમલો કરાયો હતો અને બાદમાં છરી વડે એમનું ગળું કાપી હત્યા કરાઇ હતી.
બાદમાં હિતેષ વડારિયાની છરીના ઘા મારી હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને સરકારી હોસ્પિટલમાં પોર્ટમોર્ટમ માટે મોકલી આપી છે. અને હત્યા અંગે વધુ તપાસ હાથધરી છે.
હિતેષ વડારિયા માણાવદરમાં ભાજપના આગેવાન હતા. એમણે વંથલી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે. આ હત્યા જમીન વિવાદમાં કરાઇ હોવાની આશંકા દર્શાવાઇ રહી છે. આ મામલે ઘટના સ્થળે પહોંચેલ પોલીસે તપાસ હાથ ધરી છે.