દુઃખદ / મુંબઈના પૂર્વ ક્રિકેટરનું કોરોનાથી મોત, સતત 7 મેચોમાં 7 સેન્ચુરી ફટકારી હતી

Former Mumbai cricketer Sachin Deshmukh passes away due to Covid-19

મુંબઈના પૂર્વ ક્રિકેટર સચિન દેશમુખનું કોરોના વાયરસના કારણે મોત થયું છે. થાણેની વેદાંત હોસ્પિટલમાં તેમણે 52 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા. તેમના મિત્રોના જણાવ્યા અનુસાર, તેમણે હોસ્પિટલમાં ભરતી થવાની ના પાડી દીધી હતી, જ્યારે તેમને ઘણાં દિવસ સુધી તાવ રહ્યો હતો. ત્યારબાદ 9 દિવસ પછી ખબર પડી કે તેમને કોરોના છે. દેશમુખ એક શાનદાર ક્રિકેટર હતા. તેમના જમાનામાં તેમને મુંબઈ અને મહારાષ્ટ્ર બંને માટે રણજી ટીમમાં જગ્યા મળી હતી, પરંતુ પ્લેઇંગ ઇલેવનમાં તેમને તક નહોતી મળી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ